ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દેવશંકર વૈકુંઠજી ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દેવશકર વૈકુંઠજી ભટ્ટ

માત્ર થોડાં પાઠ્ય પુસ્તકોના કે 'ગુજરાત શાળાપત્ર' અથવા 'ગુજરાતી'ના દિવાળીના અંકોમાંના શિક્ષણવિષયક લેખોના લેખક તરીકે નહિ પણ ખાસ તો કાઠિયાવાડમાં એક ચારિત્ર્યશીલ આદર્શ શિક્ષક તરીકે જાણીતા દેવશંકરભાઈનો જન્મ પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિમાં પચ્છેગામમાં સંવત૧૮૧૪ના માહ સુદ પાંચમ (વસંત પંચમી)ને રોજ થયો હતો. એમના પિતાનું નામ વૈકુંઠજી ગંગારામ ભટ્ટ અને માતાનું નામ જીવીબા નાનાભાઈ ભટ્ટ. તળ પચ્છેગામની ગુજરાતી શાળામા પ્રાથમિક અભ્યાસ કરી તે ભાવનગરની તાલુકા શાળામાં અને ત્યારબાદ રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજોમા આગળ અભ્યાસ કરવા ગયા. ત્યાં સ્વ. નવલરામભાઈ, સ્વ. રા. સા. મહીપતરામભાઈ અને સ્વ. દિ. બ. રણછોડભાઈ ઉદયરામના સંસર્ગમાં તેઓ આવતાં એ વિદ્વાનોની અસર એમના જીવન ઉપર ઉંડી થઈ અને એમને પગલે પોતે પણ જીવનભર શિક્ષણ અને સાહિત્યના વ્યવસાયમાં રહ્યા. ઇતિહાસ, ભૂગોળ, પિંગળ અને ગણિત એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા. ઇતિહાસ સંબંધે સંશોધન અને ‘ગુજરાતી સાપ્તાહિક’માં તેમ જ સાહિત્યપરિસદ સંમેલનોમાં નિબંધો તથા લેખોનું લેખન એ એમની પ્રવૃત્તિ હતી સ્વ. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર જેવા એમના ગઈ પેઢીના અનેક શિષ્યોના જીવન પર એમનાં શિક્ષણ અને સૌજન્યશીલ ચારિત્ર્યની ઊંડી છાપ હતી. અમદાવાદ જિલ્લામાં ભોળાદ ગામે સં. ૧૯૨૯માં એમનું લગ્ન થયું. એમનાં પત્નીનું નામ પાર્વતીબા. એમના મોટા પુત્ર સંતોષરામ ભાવનગર રાજ્યમાં ડૉક્ટર છે અને બીજા પુત્ર ઉદયશંકર એ જ સ્ટેટની રેલવેમાં નોકરી કરે છે. ઈ.સ.૧૮૨૨ ના ઑગસ્ટની ૨૨ મી એ એમનું અવસાન થયું. શ્રી મુનિકુમાર મણિશંકર ભટ્ટે સંપાદિત કરેલા એમના લખેલા “શિહોરની હકીકત' નામક પુસ્તકના પ્રવેશકમાં, 'છાત્રાલય’ માસિકના ૧૯૩૭ના એપ્રિલ અંકમા તેમ જ એમના વિષે ‘ગુજરાતી' પત્રે લખેલી અવસાન નોંધમાં એમના જીવન વિષયક હકીકતો આપેલી છે. એમનાં પુસ્તકો: ભાવનગરની ભૂગોળ - (પાઠ્ય પુસ્તક) – ઈ.સ.૧૯૧૧ ભાવનગરનો ઇતિહાસ - (પાઠ્ય પુસ્તક) – ઈ.સ.૧૯૧૧ શિહોરની હકીકત - ઈ.સ.૧૯૧૫ ભાગ્ય મહોદય (નાટક) -

***