નયન હ. દેસાઈની કાવ્યસંપદા/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિ પરિચયઃ

નયન હ. દેસાઈ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રયોગશીલ કવિ તરીકે જાણીતા છે. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૬ના દિવસે સુરત જિલ્લાના કઠોદરા ગામમાં થયો હતો. એસ.એસ.સી સુધીનો અભ્યાસ અને પછી ૧૪ વર્ષ સુધી હીરાની ફેક્ટરીમાં કામ કર્યું હતું. સુરતના જાણીતા દૈનિક ‘ગુજરાતમિત્ર’ સાથે સંકળાયા અને નિવૃત્ત થાય ત્યાં સુધી એમણે પત્રકાર તરીકે કામ કર્યું હતું. ગુજરાતી કવિતા ક્ષેત્રો એમનો વિશષ્ટ અવાજ હતો. ગઝલ અને ગીતમાં કવિ તરીકે એમની નોખી મુદ્રા હતી. ‘મુકામ પોસ્ટ માણસ’ કાવ્યસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૩માં કલાપી એવોર્ડ અને ૨૦૧૬માં કવિશ્વર દલપતરામ પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયા હતા. કવિતા ઉપરાંત વાર્તાલેખન ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું હતું. કેન્સરની બીમારીને કારણે ૨૦૨૩માં એમનું અવસાન થયું હતું.