પરિષદ-પ્રમુખનાં ભાષ૨ણો/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

ગુજરાતી સાહિત્ય પરિષદના ૧થી ૧૩ અધિવેશનોના પ્રમુખોનાં ભાષણોનો ગ્રંથ અગાઉ ૧૯૪૧માં પ્રસિદ્ધ થયો હતો. તેનું પુનર્મુદ્રણ પણ હમણાં જ પ્રકાશિત કર્યું છે. હવે ૧૪મા અધિવેશનથી હમણાં જ મળી ગયેલા વલ્લભવિદ્યાનગરના ૨૭મા અધિવેશન સુધીના પ્રમુખોનાં ભાષણો “પરિષદ પ્રમુખોનાં ભાષણો, ગ્રંથ-૨” રૂપે પ્રસિદ્ધ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. ૧૯૫૯ પછી નિયમિત રીતે દર બેવ ર્ષે પરિષદનાં અધિવેશનો યોજાતાં રહ્યાં છે. તે પૂર્વેના ૧૯૪૧માં યોજાયેલા ચૌદમા અધિવેશનના પ્રમુખશ્રીના ભાષણથી આ ગ્રંથનો પ્રારંભ થાય છે. એટલે ચૌદમા અને સત્તાવીશમા અધિવેશન વચ્ચે વર્ષોનો લાંબો ગાળો જોવા મળે છે. આ બધા સમયગાળા વચ્ચેનાં અધિવેશનોના પ્રમુખોનાં ભાષણો સાહિત્યાન અભ્યાસીઓ તેમજ સાહિત્યરસિકોને માટે ઉપકારક બની રહેશે એવો વિશ્વાસ છે. આ ગ્રંથપ્રકાશનમાં જેમણે સહાય કરી છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. કેટલાંક અનિવાર્ય કારણોસર ૧૬મા અધિવેશનના વ્યાખ્યાન પછી ૧૮મા અધિવેશનનું વ્યાખ્યાન છપાયું છે ને પછી ૧૭મા અધિવેશનનું. આ ફેરફારની નોંધ લેવા વિનંતી છે. મંત્રીઓ
મહાશિવરાત્રી તા. ૨૦-૨-’૭૪