બાળ કાવ્ય સંપદા/નાચે છે મોર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નાચે છે મોર

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

મારી વાડીમાં નાચે છે મોર,
કે મોરલો નવરંગી.
જાણે રંગોથી ઝાકળઝોળ,
કે મોરલો નવરંગી.
એના નર્તનમાં છલકાતો તોર,
કે મોરલો નવરંગી.
જુઓ વાદળ ને કરતો કલશોર,
કે મોરલો નવરંગી.
એનાં પીછાં કે રેશમની કોર,
કે મોરલો નવરંગી.
બધાં પંખીમાં લાગે શિરમોર,
કે મોરલો નવરંગી.
સોહે કલગીથી રઢિયાળો મોર,
કે મોરલો નવરંગી.