ભગુભાઈ ફતેહચંદ કારભારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કારભારી ભગુભાઈ ફતેહચંદ, ‘એક યુવક’ (૧૮૭૧, ૧૦-૯-૧૯૧૪) : નવલકથાકાર, નિબંધકાર, કોશકાર, અનુવાદક. જન્મ અને પ્રાથમિક શિક્ષણ સાદરા-માણસા-માં. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદ-વડોદરામાં. અમદાવાદમાં કાગળનો વ્યવસાય. ‘પ્રજાબંધુ', ‘જૈન', ‘જૈનપતાકા’, ‘સમાલોચક’ જેવાં ગુજરાતી તથા ‘પેટ્રીએટ’ જેવાં અંગ્રેજી પત્રોનું પ્રકાશન. યુરોપ-પ્રવાસ દરમિયાન પૅરિસ પાસેના બર્કમાં અવસાન. એમણે ‘સદ્ગુણી સુશીલા’ (૧૯૦૯), ‘પંચબાલિકા', ‘રાજભાષા', ‘કુમુદા’, ‘લંડનરાજરહસ્ય : ભા. ૧-૨’, ‘વિવેકવિલાસ', ‘શત્રુંજયમાહાત્મ્ય’, ‘શ્રાદ્ધવિધિ’, ‘શ્રીપાલચરિત’, ‘ધર્મબિંદુ, ‘જૈનતીર્થયાત્રાવર્ણન’ (૧૯૧૧) અને ‘દિલ્હી દરબાર’ (૧૯૧૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગુજરાતી પ્રોવર્બ્સ વિથ ધેર ઈંગ્લિશ ઇક્વિવેલન્ટ’ (૧૮૯૯), ‘સેલ્ફ ઇંગ્લિશ ઇન્સ્ટ્રક્ટર’, ‘સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિકશનરી’ (૧૮૯૫), ‘સ્ટ્રેડર્સ ગુજરાતી-અંગ્રેજી ડિક્શનરી’ તેમ જ ‘સ્ટાર ઇંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી’ જેવા કોશ રચેલા છે. પ્રસિદ્ધ ઇતિહાસવિદ ટોડના ‘રાજસ્થાન’નો તથા વિવેકાનંદના પત્રો અને તેમના ‘ભક્તિયોગ’ નામના પુસ્તકને ગુજરાતી અનુવાદ પણ એમણે કરેલો છે.