ભારતીય કથાવિશ્વ૧/દીર્ઘજિહ્વી અને પ્રાત:સવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દીર્ઘજિહ્વી અને પ્રાત:સવન

દીર્ઘજિહ્વી નામની અસુર સ્ત્રીએ દેવોના પ્રાત:સવનને ચાટી લીધો, તે સવન ઊલટસુલટ થઈ ગયો. દેવોએ તેનો પરિહાર કેવી રીતે કરવો તેનો ખૂબ ધ્યાન દઈને વિચાર કર્યો. તેમણે મિત્ર અને વરુણને કહ્યું, ‘હે મિત્રાવરુણ, તમે બંને આ પ્રાત:સવનને શુદ્ધ કરો.’ બંનેએ વરદાન માગ્યું. દેવોએ કહ્યું, ‘માગી લો.’ તેમણે કહ્યું, ‘પ્રાત:સવનના પયસ્ય જ અમારા માટે વરદાન છે.’ આ વરદાનને કારણે તે બંને ક્યારેય તેનાથી દૂર ન રહ્યા. તે દીર્ઘજિહ્વીએ પ્રાત:સવનને માદકતારહિત કરી મૂક્યું હતું, તે પયસ્યથી સમૃદ્ધ થઈ ગયું.

(ઐતરેય બ્રાહ્મણ આઠમો અધ્યાય, ચોથો ખંડ)