ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારાદિ અને વ્યંગ્યાર્થ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫. અલંકારાદિ અને વ્યંગ્યાર્થ :

કેટલાક લોકો કહે છે કે કાવ્યને જે કાંઈ શોભાવતું હોય તેને ગમે તે નામ આપો, પણ તે ગુણ કે અલંકારમાં આવી જ જવાનું. સમાસોક્તિ, પ્રેયસ્, રસવત્ જેવા અલંકારો વસ્તુધ્વનિ કે રસધ્વનિ પર આધારિત છે જ; પણ વ્યંગ્યાર્થનું ક્ષેત્ર એટલું બધું વ્યાપક છે કે અલંકારરૂપે એનું વર્ગીકરણ કરવું અસંભવિત છે. ગુણ, રીતિ એટલે તો કાવ્યદેહનું સૌન્દર્ય, જ્યારે ધ્વનિ તો કાવ્યનો આત્મા છે. એ બંનેને ભેળવી દઈ શકાય. નહિ. આથી જ તો આનંદવર્ધન રમણીના અવયવસૌન્દર્યથી અતિરિક્ત એવા લાવણ્ય સાથે કાવ્યધ્વનિને સરખાવે છે ને?

કોઈ વળી એમ કહીને વ્યંજનાને ટાળે છે કે શબ્દ અને અર્થનાં અનેક વૈચિત્ર્યોમાંથી પ્રસિદ્ધ અલંકારિકોએ જેનું વર્ણન ન કર્યું હોય એવું આ કોઈ વૈચિત્ર્ય જ હશે પણ આ રીતે વ્યંજનાને ટાળી શકાય તેમ નથી. વ્યંગ્યાાર્થને અર્થનું વૈચિત્ર્ય માનો તોય એનું મહત્ત્વ એટલું બધું છે કે એનો અલગ રીતે સ્વીકાર કરવો જ રહ્યો – અને તેથી વ્યંજના શક્તિ નો પણ.