મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા કડવું ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૪

અખાજી


જંતે ન જાન્યો જેણે નિજ આતમા,
ભટક્યો ભમિયો માયા સાથમાં;
જ્યમ રયણીનો ભૂલ્યો ઘર પામે પ્રાતમાં,
પણ દિવસે જે દશ મોડ્યો તે ઘણું ભ્રમે રાતમાં.          ૧

ઊથલો:
રાતમાંહે રડવડે, અજ્ઞાને આવર્યો હુતો;
તે નિજ આતમથો ઓતળીને વિચરતો માયાવતો.          ૨

જ્યમ સૂતો નર નિદ્રા વિષે માયા બહુ બીજી રચે;
તે કાર્યકારણ પોતે થઈને નિદ્રાવશ માંહે પચે.          ૩

આપ થકી ઓતળ્યે થકે અસંભાવના ઊપજે;
પછે વિપરીત ભાવના મન આણે, દુ:ખ પામે થોડે ગજે.          ૪

પંચ-પરવા માયા અવિદ્યા, જ્યાં હું – મારું આદ્યે સહી;
તે ફરે ફેરા ભવ વિષે, જ્યમ મણિ નિગમ્યે આંધળો અહી.          ૫

તે ભોગ દેખીને ભૂર થાયે, લડાવા ઇન્દ્રી વિખે;
સંસારનાં સુખ અધિક જાણી, કર્મ માદક નિત્ય ભખે.          ૬

કર્મજડને કર્મ વહાલાં, પણ મર્મ ન પ્રીછે બ્રહ્મનો;
ફરી ફરી તે આચરે, પણ ટળે નહિ દેહચર્મનો.          ૭

પરમાત્માને પૂઠ દેઈ આતમા ઇન્દ્રી જુએ;
ઈન્દ્રીની દ્રિષ્ટિ વિષમ સામી, એમ આપોપું નર ખુએ.          ૮

વિષે વગૂતો કરે હરિથી, નીચપણું દે જીવને;
અજ્ઞાને અવળો ફર્યો તે સન્મુખ નોેહે શિવને.          ૯

સંસારનાં સુખ અધિક દેખી ક્રિપા માને ઈશ્વરી;
પણ અંતરમાંહેનું જાન ન જાણે, જે પ્રાણપતિ ગયો વીસરી.          ૧૦

કહે અખો: સહુ કો સુણો, જો આણો જીવના અંતને;
હીંડો પરમાનંદ પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને.          ૧૧