મારી હકીકત/કવિ નર્મદની જીવનરેખા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિ નર્મદની જીવનરેખા

૧૮૩૩ – ઓગસ્ટ ૨૪-જન્મ

૧૮૩૭ – એપ્રિલ ૨૫ – સૂરતની મોટી આગમાં આમલીરાનમાંનાં બાપદાદાનાં મકાન બળી ગયાં.

૧૮૩૮ – મુંબઈમાં નાના મહેતાની નિશાળે; સૂરતમાં દુર્ગારામ મહેતાજીની નિશાળે અને અમુક વખત પ્રાણશંકર મહેતાજીની નિશાળે.

૧૮૪૧ – જનોઈ દીધું.

૧૮૪૩ – ગુરૂ બાલાજી પાસે વેદનો એક આઠો ભણ્યા.

૧૮૪૪ – એપ્રિલ ૨૯-શાસ્ત્રી સૂરજરામની પુત્રી ગુલાબ સાથે લગ્ન.

૧૮૪૫ જાન્યુઆરી ૬ – મુંબઈની અંગ્રેજી સ્કૂલ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિયૂટમાં દાખલ.

૧૮૪૯ ડીસેંબર – ઈનામની પરીક્ષામાં ઈનામ મળ્યું.

૧૮૫0 જૂન; કૉલેજમાં દાખલ – જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભામાં; ‘મંડળી મળવાથી થતા લાભ’ ભાષણ

૧૮૫0 નવેંબર ૨૩ – માતાનું મૃત્યુ.

૧૮૫૧ મે ૧ – રાંદેરમાં શિક્ષક તરીકે નિયુક્તિ.

જુલાઈ ૪ – ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ સૂરતમાં ‘સ્વદેશ હિતેચ્છુ મંડળી’ સમક્ષ વાંચ્યો.

‘જ્ઞાનસાગર’ પત્ર શરૂ કર્યું.

૧૮૫૩ માર્ચ – નાનપરાની નિશાળમાં બદલી.

૧૮૫૩ ઑકટો. ૫ – પ્રથમ પત્ની ગુલાબનું મૃત્યુ.

૧૮૫૪ જાન્યુ. ૨ – નોકરી છોડીને મુંબઈ ગયા.

૧૮૪૫ જૂન ૧૨ – કૉલેજમાં ને બુદ્ધિવર્ધક સભામાં ફરીથી દાખલ.

સિદ્ધાન્તકૌમુદી શીખવા માંડી.

૧૮૫૫ સપ્ટે. સુધી – ધુંધવાટ, તરંગ, અંગ્રેજીમાં સોએક લીટી કવિતાની લખી પ્રો. રીડને બતાવી, જે રીડે હસી કાઢેલી.

સપ્ટે. ૨૧ – પહેલું પદ રચ્યું. ચલિત વૃત્તિ સ્થિર થઈ.

બુદ્ધિવર્ધક સભામાં વ્યભિચાર ને રંડીબાજી ન કરવા વિશે નિબંધ વાંચ્યો.

૧૮૫૬ જાન્યુ. – ‘શ્રુતબોધ’ દ્વારા અક્ષરમેળ વૃત્તોનો અભ્યાસ.

ફેબ્રુ. ૧૬ – માત્રામેળ છંદ માટે માર્ગદર્શન આપવા મનમોહનદાસને પત્ર.

માર્ચથી ડીસે. – ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ના અધિપતિ

મે – ત્રિપુરાનદ શાસ્ત્રીની પુત્રી ડાહીગૌરી સાથે લગ્ન.

આગસ્ટ ૧૯ – કૉલેજનો અભ્યાસ છોડયો. – વૃત્તરત્નાકર અને રઘુવશનો અભ્યાસ

૧૮૫૭ ફેબ્રુ. – ગોકુળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક,

માર્ચ – ‘પિંગળપ્રવેશ’ રચ્યું ને પિતાને અર્પણ.

૧૮૫૭ – ચંદ્રલોક, નૃસિંહચંપૂ વ. સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ

૧૮૫૮ – લઘુહિતોપદેશનું પદ્ય ભાષાંતર કર્યું. લઘુકૌમુદી, કાવ્યચંપૂ, પ્રતાપરુદ્ર, અધ્યાત્મ રામાયણ વ. નો અભ્યાસ.

૧૮૫૮ ફેબ્રુ. – સેન્ટ્રલ સ્કૂલમાં શિક્ષક,

નવે. ૨૩ – રાજીનામું, ‘કલમને ખોળે’ માથું મૂક્યું.

૧૮૫૯ – નવે. ‘૫૮થી ૧૯ માર્ચ ‘૫૯ પૂણેમાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર આદિનો અભ્યાસ.

૨0 માર્ચને રોજ સ્વતંત્ર રહી વિદ્યાભ્યાસમાં જન્મારો કાઢવાનો નિશ્ચય કર્યા અને પૂણેથી મુંબઈ આવી રહ્યા.

જૂન ૧૮ – વાલકેશ્વરમાં દલપતરામ સાથે પ્રથમ મેળાપ.

– કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરાવીને નાતમાં જમવા મોકલી.

– પોતે ‘સંસ્કારી સુધારાવાળો’ થયો.

૧૮૬0 – મહીપતરામનું વિલાયતગમન.

– જદુનાથજી મહારાજ સાથે વિધવાવિવાહ અંગે ચર્ચા.

– તત્ત્વશોધક સભા કાઢી.

– વિધવા દિવાળીનું ગણપત સાથે પુનર્લગ્ન કરાવ્યું. – ડાહીગૌરી સાસરે રહેવા આવ્યાં.

૧૮૬૧ – વિલાયતથી પાછા આવેલ મહીપતરામ સાથે ભોજન. – મહારાજ લાઈબલ કેસ.

૧૮૬૩ ફેબ્રુ. ૩ – ઇન્કમટેક્ષ કમિશ્નર કર્ટિસની સરચાર્જ અંગે મુલાકાત.

૧૮૬૪ સપ્ટે. – ‘ડાંડિયો’ પત્ર શરૂ કર્યું.

૧૮૬૪ જાન્યુ. ૧૮ – પિતાનું ૫૬ વર્ષની વયે અવસાન. ઘરની દેવપૂજા પડોશીને સોંપી.

૧૮૬૫ જુલાઈ – સૂરતમાં નિવાસ. સ્વજ્ઞાતિની વિધવા સવિતાગૌરીને પડોશમાં પોતાના મકાનમાં આશ્રય આપ્યો.

૧૮૬૫ સપ્ટેમ્બર – ‘નર્મગદ્ય’નું પ્રકાશન

૧૮૬૬ ઑગસ્ટ ૧૯ – નાતબહાર.

નવે. ૨૧ – નાતમાં પાછા.

– ‘મારી હકીકત’નું લેખન-પ્રકાશન.

– ‘નાયિકાવિષયપ્રવેશ’ ‘ઉત્તમ નાયિકા’ ડાહીગૌરીને અર્પણ.

૧૮૬૭ના આરંભે – અગિયાર વર્ષની ‘નર્મકવિતા’ ના મોટા પુસ્તકનું પ્રકાશન.

૧૮૬૭ નવે. ૭ – દસ હજારના દેવા વિશે વલોપાત.

૧૮૬૯ – સ્વજ્ઞાતિની બીજી વિધવા નર્મદાગૌરી (સુભદ્રા) સાથે લગ્ન.

૧૮૭0 – પુત્ર જયશંકરનો જન્મ.

૧૮૭0 – રામાયણ, મહાભારત તથા ઈલિયડના સાર વગેરેનું પ્રકાશન.

૧૮૭૪ – ‘નર્મગદ્ય’ શાલેય આવૃત્તિ તૈયાર કરી.

૧૮૭૫ – ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિનું પ્રકાશન થયું.

માર્ચ – ફરી મુંબઈમાં નિવાસ. – નિવૃત્તિ પ્રવૃત્તિના ધર્મ વિશે વ્યાખ્યાનો.

– આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી સાથે ચર્ચા.

– શિવશકિતરૂપે પરમેશ્વરને પૂજવા નિર્ણય. – ધ્યાનમંત્રનો જાપ.

૧૮૭૬ – શ્રી રામજાનકીદર્શન નાટક કેખુશરો કાબરાજીએ ભજવ્યું.

માર્ચ – નર્મકોશ પ્રગટ થયો.

૧૮૭૭ એપ્રિલ ૧૬ – સૂરતમાં ‘સરસ્વતીમંદિર’માં વેદ સરસ્વતીની સ્થાપના.

– શિવરાત્રી વ્રત, ચંડીપાઠ, શિવસ્તોત્ર, નર્મટેકરી પર સરસ્વતીની સ્તુતિ.

૧૮૭૮ – આર્યનીતિદર્શક મંડળીએ ‘દ્રૌપદી-દર્શન’ નાટક ભજવ્યું.

૧૮૭૯ – ભક્ષ્યાભક્ષ્ય ઈ. વિશે આચાર પાળવાનું નક્કી કર્યું. સૂર્યગ્રહણ પાળ્યું.

૧૮૮0 – જયશંકરને જનોઈ આપ્યું. પોતે પૂરા ‘આસ્થાવાન્’ થયા.

૧૮૮૧ – ‘શ્રી સારશાકુન્તલ’ની રચના અને તેનો તખ્તોપ્રયોગ.

૧૮૮૨ – શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભાષાંતર પ્રગટ થયું.

ગોકુળદાસ તેજપાળ ધર્મખાતાના સેક્રેટરી તરીકે નિમણૂંક.

૧૮૮૩ – ‘શ્રી બાળકૃષ્ણવિજય’ નાટકની રચના.

૧૮૮૫ જુલાઈ ૧૯ – ધર્મખાતાની નોકરી છોડી.

૧૮૮૬ ૧૭ ફેબ્રુ. – મહાશિવરાત્રી – પરિવારજનોને સ્વધર્મનિષ્ઠા રાખવા અંતિમ ઉપદેશ.

૧૮૮૬ ફેબ્રુ. ૨૬ – અવસાન.