રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/લેખક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખક-પરિચય


Ramanlal-Soni-239x300.jpg

લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)


ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા.

સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે સહજ, સરળ, કલ્પનાશીલ અને વિસ્મયસભર બાળ-કવિતા-વાર્તા અને ટૂંકાં નાટકોનાં અનેક પુસ્તકો લખ્યાં; ‘વિશ્વની લોકકથાઓ’ જેવાં સરળ ભાવાનુવાદવાળાં સંકલનો કરી આપ્યાં અને ‘ગુરુદેવ રવીદ્રનાથ‘ જેવાં પ્રેરક ને રસપ્રદ ચરિત્રો લખ્યાં. એમની સર્જકતાએ ઘણી પેઢીઓનાં બાળ-કિશોરોની રસવૃત્તિને પોષણ આપ્યું.

અનુવાદક તરીકે પણ એમની એવી જ દીર્ઘ સાધના રહી. ઉત્તમ બંગાળી લેખકો શરદબાબુ અને રવીદ્રનાથનાં અનેક વાર્તા-નવલકથાઓનાં પુસ્તકોના, મૂળને અનુસરતા ને છતાં ગુજરાતીમાં જ લખાયા હોય એવા સહજ-પ્રવાહી અનુવાદોથી એમણે અનેક વાચકોને ઉત્તમ ને રસાળ અનુવાદો સંપડાવ્યા. અંગ્રેજીમાંથી શેરલોક હોમ્સની જાણીતી ડિટેક્ટીવ વાર્તાઓના (10 પુસ્તકોમાં) એવા જ સહજ-રસાળ અનુવાદો પણ એમણે આપ્યા.

મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.

– રમણ સોની