વિવેચનની ભૂમિકા/ઋણસ્વીકાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઋણસ્વીકાર

મારા આ ગ્રંથના પ્રકાશનપ્રસંગે પૂર્વકથન રૂપે વધુ કંઈ કહેવાની ઇચ્છા નથી. માત્ર ઋણસ્વીકાર કરીને મારું અંતર હળવું કરું એટલી જ ઝંખના છે. ગ્રંથસ્થ કરેલા અધ્યયનલેખો પાછળ આપણી કેટલીક સાહિત્યસંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનાં આમંત્રણો પડ્યાં છે. તે સાથે પોતાનાં સામયિકોમાં પ્રગટ કરનાર સંનિષ્ઠ તંત્રીશ્રીઓ/સંપાદકશ્રીઓની સદ્‌ભાવના પણ રહી છે. એ પૈકી શ્રીમતી મંજુબહેન ઝવેરી, ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા, સ્વ. સુરેશ જોષી જેવા અગ્રણી તંત્રીઓ મને સતત પ્રેરણાબળ રહ્યા છે. તેમનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી યશવંત દોશી, ગુલાબદાસ બ્રોકર, ભોળાભાઈ પટેલ, શિરીષ પંચાલ અને રતિલાલ અનિલ જેવા તંત્રીઓ/સંપાદકોને ય આજે પ્રેમપૂર્વક સ્મરું છું. આ ગ્રંથના પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ઉદાર આર્થિક સહાય મળી છે. આ સહાય ન હોત તો આ પુસ્તકનું પ્રકાશન વિલંબમાં જ પડ્યું રહેત. એટલે, આ પ્રસંગે સાહિત્ય અકાદમીના અગ્રસ્થાને રહેલા અધિકારીશ્રીઓ અને સંબંધિત પરામર્શકશ્રીનો અંતરથી આભાર માનું છું. ચંદ્રિકા પ્રિન્ટરીના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી રાકેશભાઈ દેસાઈએ પૂરી કાળજી લઈને આ પુસ્તકનું સુંદર રુચિકર છાપકામ કરી આપ્યું, તે માટે તેમનો ય આભારી છું. લોકસાહિત્યાલય, આણંદના પ્રોપ્રાયટર્સ સર્વશ્રી શ્રી હરેન્દ્ર ભટ્ટે આ પુસ્તકના વેચાણની જવાબદારી સ્વીકારી છે તે માટે તેમનો ય ઋણી બનું છું.

તા-૨૫-૨-૯૦
વલ્લભવિદ્યાનગર
પ્રમોદકુમાર પટેલ