સંસ્કૃતિ સૂચિ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

રમણ સોની

૧૯૪૭થી ૧૯૮૫ સુધીના લગભગ ચાર દાયકા સુધી ઉમાશંકર જોશી દ્વારા ચાલેલા આપણા એક મહત્ત્વના સામયિકની આ વિસ્તૃત અને વર્ગીકૃત સૂચિ મોટી ઉપયોગિતા ધરાવે છે. સંપાદકોએ આ સૂચિને ૨૮ સ્વરૂપ/ વિષય-વિભાગો તેમજ ઉલ્લેખસૂચિ અને કર્તાસૂચિમાં વર્ગીકૃત કરી છે અને એ દરેક વિભાગમાં આવશ્યક પેટાવિભાગો કરીને એને વધુ પારદર્શક ને વાચકસહાયક બનાવી છે. દરેક વિભાગને આરંભે એ વિભાગની સામગ્રી અને વ્યવસ્થા વિશેની ટૂંકી નોંધ કરી છે એ પણ શાસ્ત્રીય ચીવટ બતાવે છે. ‘સંસ્કૃતિ’ ના દરેક અંકનાં ‘આવરણપૃષ્ઠ’ પરનાં ચિત્રો, રેખાંકનો, છબીઓ, લખાણોને પણ રજૂ કરવાની દસ્તાવેજી સૂઝ-સમજ દાખવીને સંપાદકોએ સૂચિને પરિપૂર્ણ બનાવી છે. ‘સંસ્કૃતિ’માં ઉલ્લેખ પામેલાં સંસ્થા, ઘટનાઓ, પારિતોષિકો, વ્યક્તિઓ, ગ્રંથો, સામયિકો, વિશિષ્ટ શબ્દ, આદિને આવરી લેતી, ૧૭૦ પાનાંમાં વિસ્તરેલી ઉલ્લેખસૂચિ આ સૂચિનો મહત્ત્વનો અંશ છે. આવો પરિશ્રમ દરેક સૂચિકારનું એક જરૂરી કર્તવ્ય ગણાય.

દરેક વિભાગમાં અને ઉલ્લેખસૂચિમાં પણ, વ્યક્તિનામો પ્રથમ નામના ક્રમે મૂક્યાં છે ને છેલ્લી, આ સૂચિમાંની વિગતોના પૃષ્ઠક્રમ નિર્દેશતી, કર્તાસૂચિ પદ્ધતિસ કરી છે એમાં શાસ્ત્રીય પદ્ધતિનું અનુસરણ જોઈ શકાય છે. – રમણ સોની
પ્રત્યક્ષ, નવેમ્બર 2017-માંથી