સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/સંપાદક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક-પરિચય
Sejal Shah.jpg


મુંબઈ સ્થિત સેજલ શાહ ગુજરાતી ભાષા સાહિત્યનાં અધ્યાપક, કવિ, વિવેચક છે. હાલમાં તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ નામક સામયિકનાં સંપાદક તરીકે કાર્ય કરે છે. ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ’ આ વિષય પર તેમણે પીએચ.ડી. નિમિત્તે શોધકાર્ય નીતિન મહેતાના માર્ગદર્શનમાં પૂર્ણ કર્યું છે. તેમના શોધ નિબંધનું પ્રકાશન ઉપરાંત ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘પ્રવાસ ભીતરનો’ આ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત ૬ પુસ્તકો સંપાદિત કર્યાં છે. તેમની કવિતાઓ ‘પરબ’, ‘નવનીત સમર્પણ’, ‘એતદ્‌’, આદિ સામયિકમાં પ્રકાશિત થયેલી છે. હાલમાં તેઓ બે સંશોધન પ્રોજેક્ટ હેઠળ કાર્યરત છે. ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદમાં સ્વાધ્યાયપીઠ મંત્રી અને ફાર્બસ ગુજરાતી સભામાં પણ મંત્રી છે, આમ જુદી જુદી સાહિત્યિક સંસ્થા સાથેનું જોડાણ અને સાહિત્ય પ્રવૃત્તિમાં રત છે. ૧૨મી સદી પછીની જૈનસાહિત્યની હસ્તપ્રત પર તેઓ કાર્ય કરી રહ્યાં છે. તેઓ જૈનસાહિત્યનાં અભ્યાસી છે. આ વિષયક તેમના નિયમિત વક્તવ્યો આયોજિત થતાં હોય છે.