સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/જીવનની મોટી અમીરાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સુરેશ દલાલે એક વાર મને પ્રશ્ન પૂછેલો: “તારો સહુથી વધારે આદરપાત્ર ગુજરાતી સર્જક કોણ?” જવાબમાં મેં કહેલું: “મકરન્દ દવે. કોઈ માણસનો વધારે પરિચય થાય ત્યારે ઘણી વાર આદર ધીરેધીરે ઘટતો જાય છે. મકરન્દભાઈ માટે પરિચય સાથે આદર વધતો જ રહ્યો છે. એમનો પ્રેમ પામ્યો તેને હું મારા જીવનની સૌથી મોટી અમીરાત ગણું છું. ગુરુ કરવામાં હું માનતો નથી, પરંતુ જો ગુરુ કરવાના જ હોય તો હું સાંઈ મકરન્દને ગુરુપદે સ્થાપું. તેઓ માનવતીર્થ છે.”