સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જીવતરામ કૃપાલાની/ગાંધીજી આધુનિક હતા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરી ગણવો એ જો આધુનિકતાનું લક્ષણ હોય, તો ગાંધીજી આધુનિક હતા. વચન પાળવું અને માથે લીધેલું કામ પાર ઉતારવું એ જો આધુનિકતાનું લક્ષણ હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો સહિષ્ણુતા અને સમજદારી આધુનિક હોય, તો ગાંધીજીને આધુનિક ગણવા જ પડે. જેઓ આપણા કરતાં જુદો અભિપ્રાય ધરાવતા હોય અથવા આપણા વિરોધી હોય તેમની સાથે પણ સ્વસ્થપણે વર્તવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો દરજ્જાનો, સત્તાનો કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું એ આધુનિક હોય, તો બેશક, ગાંધીજી આધુનિક હતા. જો દીનહીનો સાથે તાદાત્મ્ય સાધવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો ગરીબો, દરિદ્રો, દલિતો, દુર્ભાગીઓ માટે અવિશ્રાંત કામ કરવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. અને સૌથી વિશેષ તો એ કે કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ વહોરી લેવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા.

(અનુ. નગીનદાસ પારેખ)


[‘ગાંધીજી : જીવન અને વિચાર’ પુસ્તક]