સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/અશ્રુપાત નહીં — આંતરવ્યથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          આખા રાષ્ટ્રમાં ઘૂમનારા પરદેશી વિદ્વાને કાઠિયાવાડના તળપદા સંસ્કારધનમાં દેખેલું આ સૌંદર્ય અત્યારે છેલ્લા શ્વાસ ઘૂંટી રહેલ છે એના પર હું અશ્રુપાત કરવાનું કોઈને કહેતો નથી. કાળનું ચક્ર ફરે છે તે સારાને માટે જ છે. કાળચક્રના ફરવા સાથે જૂની સ્થિતિનું સૌંદર્ય અલોપ થાય છે, તો નવી અવસ્થાનું રહસ્ય ઉપર આવે છે. વિદાય લેતા કાળને વળામણાં દેતે દેતે આંતરવ્યથા ફક્ત આટલી જ કે એની સંપૂર્ણપણે સુરેખ છબી, એની તવારીખ અને એના યુગબોલ આપણે આપણી અનુભવપોથીમાં અંકિત કરી શક્યાં નથી. [‘જન્મભૂમિ’ દૈનિક : ૧૯૩૯]