સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિલખુશ દીવાનજી/સૌથી મોટું કમનસીબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સ્વરાજ તો મળ્યું, પરંતુ હિંદની પ્રજામાં ગુલામી માનસ ખીલવવામાં જે શિક્ષણ-પદ્ધતિએ સૌથી વધુ ફાળો આપ્યો છે તે લગભગ એ જ રહી છે. અંગ્રેજ સરકારના વૈભવને કેટલીક વાર ભુલાવે એવા વૈભવો અને કુટેવો, ભણતા અને ભણી પરવારેલા વર્ગમાં ઊંડાં ઊતરતાં જાય છે. ગરીબો માટેની દાઝ તો જાણે આજના ભણતરમાં દેખાતી જ નથી. દૂરના ગ્રામવાસીઓ પણ કેળવણીના આ ભયાનક ભ્રમમાં ફસાતા જાય છે. સ્વરાજનું આ સૌથી મોટું કમનસીબ છે. શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને વરસો પહેલાં બાપુએ પોતાની દર્દભરી વાણીમાં જણાવેલું તે તેઓ યાદ નહિ કરે? “તમે ગરીબમાં ગરીબ ખેડૂતના દેવાદાર છો. એ ખેડૂતો જ તમને નિભાવે છે, તમારા શરીરને ઢાંકે છે. આ ભવ્ય મકાનો પણ એમણે જ બાંધી આપ્યાં છે. મજૂરોના પરસેવા અને લોહીથી આ સ્થળ ઊભાં થયાં છે. એમના પ્રતિના ઋણમાંથી તમે કદી મુક્ત નથી થવાના — સિવાય કે આ સ્થળ છોડયા પછી તમે એ ગરીબોની સેવામાં જીવન સમર્પણ કરો.”