સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/પશ્ચાતદર્શન થશે ત્યારે —

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          એકવીસમી સદીને અંતે, ૨૧૦૦ના વર્ષમાં, વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પશ્ચાતદર્શન થશે ત્યારે- કવિતામાં બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર, લાભશંકર અને સિતાંશુની કૃતિઓ; નાટકમાં જયંતિ દલાલ અને ઉમાશંકરની એકાંકી કૃતિઓ; ટૂંકી વારતામાં રામનારાયણ અને પન્નાલાલની કૃતિઓ; નવલકથામાં મુનશી, પન્નાલાલ અને ‘દર્શક’ની કૃતિઓ; નિબંધમાં કાલેલકર, ભોળાભાઈ, આનંદશંકર, ગાંધીજી, કિશોરલાલ અને સચ્ચિદાનંદની કૃતિઓ; ચરિત્રસાહિત્યમાં ગાંધીજી, ઇન્દુલાલ [યાજ્ઞિક] અને નારાયણ દેસાઈની કૃતિઓ; વિવેચનમાં આનંદશંકર, બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકરની કૃતિઓ; તથા સાહિત્યિક પત્રકારત્વમાં ‘જ્ઞાનસુધા’, ‘વસંત’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’, ‘માનસી’, ‘સંસ્કૃતિ’ અને ‘ક્ષિતિજ’-આટલી કૃતિઓ તો દૂરદૂરથી પણ ઉન્નત શૃંગોની જેમ દૃષ્ટિગોચર થશે. આ કૃતિઓને નતમસ્તકે વંદન.