સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/એ જ સાચાં મૂલ!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          લાધીશોને, ગુર્જર કવિવરોને, ગુર્જર સાહિત્યકારોને મારી વિનવણી એટલી છે— ‘ગુજરાતીમાં સાહિત્ય’ એ પ્રશસ્તિવાદના ગોઝારા મોહકૂપમાં પુરાઈને ન ડૂબતા. દૃષ્ટિ સદા વિશ્વપ્રતિ રાખજો કે, મ્હારા લેખનું જગતસાહિત્યમાં સ્થાન શું? છેલ્લાં સત્તાવીસ વર્ષથી આછો અધૂરો યે હું તો એ આદર્શ ઉપાસતો આવ્યો છું! ગુર્જર સાહિત્યકૃતિઓનાં ને ગુર્જર સાહિત્યકારોનાં યે મૂલ જગતબાઝારમાં મૂલવાશે એ જ સાચાં મૂલ! [‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’ પુસ્તક]