સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અધ્યાપકો— વિદ્યાર્થીઓ માટે એક આદર્શ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આજના સમયે ગુરુ-વિદ્યાર્થી વચ્ચેના સંબંધો સાવ ક્ષીણ થઈ રહ્યા છે ત્યારે ‘સોનગઢનો કળાધર’ (લે. સુરેશ જોષી : સં. ગીતા નાયક) પુસ્તક એક સમર્થ શિક્ષકના પ્રેમાળ, વિશાળ વ્યક્તિત્વને આપણી સામે મૂકીને અધ્યાપકો-વિદ્યાર્થીઓ માટે એક આદર્શ પણ રજૂ કરે છે. સાહિત્ય-શિક્ષણ કઈ રીતે આપવું? વિદ્યાર્થી કઈ રીતે ‘સાહિત્ય-પદાર્થ’ને સાચા રૂપે જાણે-પ્રમાણે? શિક્ષકમાં કયા ઉમદા ગુણો હોવા જોઈએ-જેવા પ્રશ્નોના ઉત્તરો પણ આ પુસ્તકની બાય-પ્રોડક્ટરૂપે લઈ શકાય.