સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શાળાનાં માત્રા બે ટકા જ બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હૃદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર— શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી, એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્રયમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી, એ ચિત્રકળાનું જ કામ છે.