સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચમન મેં વિરાના દિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિ જગદીશ જોષીની જીવનલીલા ૪૬ વરસની ઉંમરે સંકેલાઈ ગઈ. આ ગાળામાં એમણે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા. એમણે કવિતા લખવાનો પ્રારંભ મોડી ઉંમરે કરેલો. કવિને કાવ્ય મળ્યું એનો વિસ્મય આમ પ્રગટ થાય છે : આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ. એમની કવિતામાં વેદનાનો ખટકો છે. કદાચ આ જિંદગી જીવવા જેવી નથી લાગતી. કવિ આમ તો દેખીતી રીતે સુખી હતા. કદાવર દેહ, વૈભવશાળી અવાજ, સંપત્તિની કોઈ કમી નહોતી, વ્યવસાયે શાળાના આચાર્ય-માલિક હતા. છતાંય જીવનમાં કશુંક ખટકતું હતું. કેટલીક વેદનાઓ એવી હોય છે કે કોઈને આંગળી મૂકીને બતાવી ન શકાય. જાણે કોઈ પૂર્વજન્મની વેદના લઈને જીવતા હોય, એમ કવિ કહે છે :

પણ
કોઈ તો કહો
— હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું?

જગદીશ ગાતો પણ સારું. એનું એક પ્રિય ગીત હતું : ‘ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ…’ [‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]