સહરાની ભવ્યતા/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય


Raghuvir-Chaudhary-2.jpg


રઘુવીર ચૌધરી

*

કૃતિપરિચય : સહરાની ભવ્યતા (રેખાચિત્રો)

ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.

દરેક વ્યક્તિચિત્ર લેખના આરંભથી જ વાચકને કોઈ પ્રસંગથી કે કોઈ સ્વભાવલક્ષણથી પકડમાં લે છે. જેમકે ઉમાશંકર જોશી વિશેના લેખનો આરંભ જુઓ : પ્રેમ પક્ષપાત ન બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે.

આ લેખોમાં, હળવાશ અને માર્મિકતાના પ્રવાહમાં વ્યક્તિરેખાંકન થતું જાય છે એ સ્પૃહણીય તો બને જ છે, વળી લેખક રેખાંકિત વ્યક્તિની ભીતર લઈ જાય છે એથી આ ચરિત્રલેખો વિચારણીય પણ બને છે. પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. અલબત્ત, એથી એ લખાણોએ પ્રાસાદિકતા છોડી નથી.

બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –

(પરિચય: રમણ સોની)