સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રવિશંકર રાવળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રવિશંકર રાવળ

[જુદી જુદી પાંચ કલાકૃતિઓનો ગુજરાતના સમર્થ કલાકાર શ્રી. રવિશંકર રાવળ આપણને પરિચય કરાવે છે. ચિત્રોની અનેક ખૂબીઓ છાપમાં નથી આવી શક્તી. દાખલા તરીકે, પદ્મપાણિના મૂળ ચિત્રમાં રંગ-રેખાની અદ્ભુત મિલાવટ છે તેમાંનું કશુંય અહીં જે છાપ ઉતારી છે તેમાં નથી, અને એમ છતાં એ ચિત્ર જોતાં સાથે જ આપણે કેવા ઊંડા ચિન્તનમાં ડૂબી જઈએ છીએ! સેંકડો વર્ષ પહેલાંના એ અજાણ્યા ભક્ત કલાકારની બુદ્ધની કલ્પના કેવી ઉદાત્ત અને ભવ્ય હતી એ જોતાં આપણે મુગ્ધ બનીએ છીએ. જે કરુણાની બુદ્ધે જગતને ભેટ આપી તે કરુણા બુદ્ધના અંગની પ્રત્યેક રેખામાંથી જાણે નીતરતી હોય એમ લાગે છે. એવી જ મૃદુતા આપણે બુદ્ધની શિલ્પમૂર્તિમાં પણ જોઈએ છીએ. પથ્થરમાં હૃદયની બધીય મૃદુતા વિકસાવવાની કળા એ આપણા દેશની અનન્ય સંસિદ્ધિ છે. પશ્ચિમના શિલ્પીઓએ શરીર-સૌષ્ઠવને બતાવવામાં કશી મણા નથી રાખી હોતી, પણ આત્માની સુન્દરતા તો કેવળ ભારતીય કળાકારો જ સારામાં સારી રીતે સ્થૂળ પથ્થરમાં વિકસાવી શક્યા છે. અહીં આપેલા મથુરાના બુદ્ધ ઉપરાંત સારનાથના બુદ્ધની ભવ્ય શાન્ત મુખમુદ્રા અને બીજી એવી અનેક મૂર્તિમાંથી આ સત્યની આપણને પ્રતીતિ થઈ શકશે. કાવ્યની જેમ જ કળા જીવનને ઊંચે લઈ જાય છે, અને તે માટે બને તેટલા સુન્દર ચિત્રસંગ્રહોનો વારંવાર અભ્યાસ કરતા રહેવું જોઈએ.]