સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

[આપણી ભાષાના એક સર્વોત્તમ ગ્રંથ ‘સરસ્વતીચંદ્ર’માંથી આ પ્રસંગ લીધો છે. મણિરાજ બાળકરૂપે પણ એટલો બધો વિચારશીલ અને લાગણીવાળો લાગે છે કે આગળ ઉપર એ મહાન થશે એની આગાહી આપણને એના આ વર્તનથી મળી રહે છે. નાને મોઢે મોટી વાતો બોલતો હોય એવું ન લાગે, અને મોટા મોટા વિચારો આવડો બાળક તે કદી બોલી શકે એવો અસંભવદોષ આપણા મનમાં ન જાગે, એ માટે લેખકે ચીવટ રાખી છે. કેટલાક ગંભીરતાવાળા વિચારો તેણે પોતાની માતા પાસેથી સાંભળેલા છે અને ‘માતાજીએ કહ્યું છે કે...’એવી પ્રસ્તાવના કરીને મણિરાજ તે તે વિચાર રજૂ કરે છે. આ ઉપરથી બીજી એક અગત્યની વાત ધ્યાન ખેંચે છે તે એ છે કે બાળકની ખરી કેળવણી તેને મા પાસેથી જ મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાવિ મહાન લોકનેતા થવાની લાયકાત જે સંસ્કારોને લીધે મણિરાજમાં આપણને દેખાય છે તે બધા જ એને માતા તરફથી મળ્યા છે. લેખકે બાળલીલાનો આછકલો પ્રસંગ લઈને પણ, આ રીતે ઘણી મહત્ત્વની વાતો છેડી છે. બાળકની ધીરતા, મધુરતા, બાળકમાં જે ન હોય તો ખામીરૂપ ગણાય તે રમતિયાળપણું અને મધુમક્ષિકાના છોકરા પ્રત્યે એણે દર્શાવેલી દયા નહિ પણ મમતા, – એ બધાને લીધે આ નાનકડો પ્રસંગ જીવનથી ભર્યો ભર્યો લાગે છે; – જે એના લેખકની આગવી શક્તિ છે.]