સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જ્યોતીન્દ્ર દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જ્યોતીન્દ્ર દવે

[આ હાસ્યરસિક લેખમાં શ્રી. જ્યોતીન્દ્ર કરકસર કરવા જતાં કેટલું ખરચ થઈ જાય છે એ બહુ મર્માળી વાણીમાં વર્ણવે છે. શ્રી. જ્યોતીન્દ્ર નિરર્થક હસવાના આનંદ ખાતર જ હસતા હોય એમ લાગે છે, તે છતાં એમના હાસ્ય પછવાડે ઘણી વાર મોટો અર્થ સંતાયેલો હોય છે. માત્ર એ અર્થનો બોજે પોતાને કે આપણને એ લાગવા દેતા નથી. એ જ એમના હાસ્યની ખૂબી છે. તજજ્ઞ - નિષ્ણાત (તત્= તે, જ્ઞ = જાણનાર). લોકદીવાલો, લોકઓરડા, વગેરે સમાસો નાનાલાલ કવિની શૈલીના અનુકરણમાં યોજી તે શૈલીને ભોગે હાસ્ય કર્યું છે. લકઝરી-ટૅકસ- મોજશોખની વસ્તુ પર કરવેરા, દા. ત., દારૂ, સિગારેટ, મોટર ઉપરના વેરા. રેસ્ટોરાં – હોટેલ. મેલ કરવત - કાશી કરવત મુકાવવાથી - કરવત વડે શરીર વહેરાવવાથી આવતે ભવ જે થવું હોય તે થવાય છે એ ઉપરથી એક મોચી તેમ કરાવવા ગયો, પણ આવતે જન્મે શું થવું તે નક્કી કરતાં દરેક સ્થિતિમાં તેને ઊણપ જણાઈ અને ‘મોચીના મચી’ થવા જ એણે છેવટે માગણી કરી.]