સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જલપરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪. જલપરી

બચુભાઈ રાવત

Sahitya Pallav - 3 Image 3.jpg

રાત વીતી જઈને પ્રભાતની આંખ ઊઘડી છે, અને એ ઉઘાડના પ્રતીક સમી કમલિની સૂર્યના કિરણસ્પર્શ ખીલી ઊઠી છે. અરે, જલપરીનું એ સખીમંડળ પ્રભાતના ઉલ્લાસમાં ત્યાં ગોળાકારે મળી રાસ રમે છે કે શું? સમગ્ર ચિત્રવિસ્તાર પર ગોળ ગોળ કમળપત્ર પથરાયાં છે અને એ બધાં પર મોતીના દાણા જેવાં ગોળ ગોળ જલબિન્દુ વેરાયાં છે. ગોળાકારનું આ કાવ્ય ઝડપીને કલાકારે તેને લંબચોરસ ફોટોમાં કેમ પૂર્યું હશે? ચિત્રની વિસ્તારરેખાઓ પણ બધી, વર્તુલમાં ત્રિજ્યાઓ ફૂટે તેમ, ચક્રલક્ષી જ ફૂટે છે. – સૂર્યમાંથી કિરણો ફૂટતાં હોય તેમ. પણ એનું કેન્દ્રસ્થાન ચિત્રના વચગાળે ન રાખતાં મથાળે છેક ચોથા ભાગે રાખવામાં કલાકારે સંયોજનનું કૌશલ દાખવ્યું છે. નહિ તો જડ કૃત્રિમતા જ આવી જાત. કમલપત્ર પથરાઈ પથરાઈને તમારા ખોળામાં આવી પડતાં હોવા છતાં એ તમારું ખાસ ધ્યાન નથી ખેંચતાં. તમારું લક્ષ તો પેલું જલપરીનું જૂથ જ ખેંચે છે. જાળી ભાતનું આ ચિત્ર ભર્યું ભર્યું હોવા છતાં આંખને પજવતું નથી. અંદરની દાંડલીઓને પણ દેખાવા દેતું પારદર્શક પાણી, જલબિન્દુને રમવાની મુલાયમ સેજ ધારણ કરી રહેલાં કમલપત્રો. શ્વેત કોમલ કમલિની – ચિત્રનાં આ બધાં જ અંગ મૃદુતાવાળાં છે અને એની બધી જ નૈસર્ગિક રમ્યતા સાથે કલાકારે એ રજૂ કર્યાં છે.

સ્વાધ્યાય

૧. તાંડવનું રહસ્ય સમજાવો.
૨. છાયાચિત્રની વિશિષ્ઠતા શી હોય છે તે જણાવો.
૩. કાવ્ય, ચિત્ર અને શિલ્પ - એ દરેક કળા શેનું શેનું આલંબન લે છે તે કહી શકશો?
૪. ફોટોગ્રાફી અને ચિત્રકળા વચ્ચે શો ફેર હશે તે જણાવી શકશો?