સોરઠી સંતવાણી/બ્રહ્માનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બ્રહ્માનંદ

સતી જ્યારે સ્વધામ ગિયાં ત્યારે
થયો પાનબાઈને અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો
મટી ગિયો મનનો સર્વે શોક રે —
અંતર બદલ્યું, નિર્મળ થઈને બેઠાં,
સંકલ્પ સમાણો ચૈતનમાંય રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત લાઈ. — સતી.
જ્યાં રે જોવે ત્યાં હરિહરિ ભાળ્યા
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં
ભળી ગિયો તુરિયામાં તાર. — સતી.
એટલામાં અજોભા આવિયા,
તેને કરાવ્યો સતસંગ રે,
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
હવે કોણ ચડાવે પુરણ સંગ રે. — સતી.

[પાનબાઈ]