સોરઠી સંતવાણી/મરજીવા કોણ કહેવાય?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મરજીવા કોણ કહેવાય?

જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં,
ત્યાં લગી ભગતી નૈ થાય;
શરીર પડે વાકો ધડ લડે, પાનબાઈ!
સોઈ મરજીવા કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! પોતાનું શરીર માને નહીં મનમાં,
શરીરનાં ધણી મટી જાય,
સતગુરુ ચરણમાં શીશ નમાવે,
ત્યારે પૂરણ નિજારી કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! નવધા ભગતીમાં નિરમળા રે’વું
મેલી દેવી મનની તાણાવાણ,
પક્ષાપક્ષી નહીં હરિના દેશમાં
એનું નામ પદની ઓળખાણ. — જ્યાં લગી.
ભાઈ રે! અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ
એ તો જાણવા જેવી છે જાણ;
ગંગા રે સતી એમ બોલિયાં,
ત્યારે મટી જાય ચારે ખાણ. — જ્યાં લગી.

[ગંગાસતી]