‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિભાગ ૩ ‘પ્રત્યક્ષ’ વિશે : (કુલ ૪૬ પત્રો)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિભાગ : ૩
‘પ્રત્યક્ષ’ વિશે –

[– વાચકો, લેખકો, વિવેચકોનો સંવાદ]

‘પ્રત્યક્ષ’ માત્ર સમીક્ષા, અવલોકન, સૂચિ; વિવિધ વિભાગોમાં સાહિત્ય-વિવેચનનાં વિવિધ રૂપો પ્રગટ કરીને બેસી રહ્યું ન હતું. એણે એક પક્ષી પ્રકાશન કરવાના બદલે વાચકો-લેખકો સાથે સતત તંતુ જોડેલો રાખેલો. એને કારણે વાચકોને ‘પ્રત્યક્ષ’ વિશે કંઈક ને કંઈક કહેવાનું થતું – એ પત્રો દ્વારા વ્યક્ત થયેલું છે. ક્યાંક પ્રત્યક્ષ પાસેની અપેક્ષાઓ, ક્યાંક એના સ્વરૂપ વિશે ટીકાઓ, ક્યાંક સંપાદકની – ને સમીક્ષકોની – ઉત્તમ બાબતો અંગે પ્રશંસા – એમ ‘પ્રત્યક્ષ વિશે’ કંઈક ને કંઈક લખાતું રહ્યું. પ્રત્યક્ષના સંપાદકે સમીક્ષાઓ પ્રગટ કરવા ઉપરાંત, પ્રત્યક્ષના પ્રગટ થયેલા અંકની કેટલાક અભ્યાસી લેખકો પાસે સમીક્ષા કરાવવાનો પ્રયોગ પણ કરેલો – એ જોકે હંમેશાં ન ચાલેલો પણ જે પ્રગટ થયું એમાં સમીક્ષાની સમીક્ષા, પ્રત્યક્ષના વલણની ટીકા તેમજ સરાહના થયાં. એ પણ પ્રતિભાવ રૂપ પત્રલેખન જ ગણાય. ‘સામયિક સંપાદક વિશેષાંક’ (૧૯૯૫) થયો ત્યારે ૨૪ વિદ્વાન લેખકોએ પત્ર-પ્રતિભાવ આપેલા એ નોંધપાત્ર બીના ગણાય.

વિજય પંડ્યાનાં સ્નેહસ્મરણ
[એપ્રિલ-જૂન, ૨૦૦૭, પૃ. ૪૨]