અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ મોદી/ક્યાં જશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં જશે?|દિલીપ મોદી}} <poem> મોરને છોડીને ટહુકા ક્યાં જશે? આ ધ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(પંથ, ૧૯૮૩, પૃ. ૧૩૭)}}
{{Right|(પંથ, ૧૯૮૩, પૃ. ૧૩૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ મોદી/એક વખત | એક વખત]]  | એક વખત વૃક્ષોની સભાએ ઠરાવ પસાર કર્યો કે]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/ઊગી ગયો | ઊગી ગયો]]  | વાવ્યું હતું મેં મૌન ને પડઘો ઊગી ગયો ]]
}}

Latest revision as of 10:59, 28 October 2021


ક્યાં જશે?

દિલીપ મોદી

મોરને છોડીને ટહુકા ક્યાં જશે?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથથી મેંદીની છાયા ક્યાં જશે?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે?
(પંથ, ૧૯૮૩, પૃ. ૧૩૭)