સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કયા જંગલમાંથી ઘડી લાવીએ?

From Ekatra Wiki
Revision as of 07:25, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી? વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠયા પણ મળતા નથી, એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે. આપણી કલમો કવિતા, વાર્તા, ધર્મ અને રાજકારણ એ સિવાય જાણે કશામાં રસ લઈ જ શકતી ન હોય એવું દેખાય છે, અને આ બધાંમાં પણ નિર્જીવ અને રોગિષ્ટ અર્પણો જ ઘણાંખરાં તો હોય છે. પલટાતા જગતપ્રવાહોનું સ્થિર દૃષ્ટિએ આકલન કરનારી, જીવનના પાયાના પ્રશ્નાો સાથે બાથ ભીડનારી, રાગદ્વેષના ઝંઝાવાતો વચ્ચે સત્યને માટે અકંપ ઊભનારી, સમાજ, રાજકારણ, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન એ બધાં ફલકો ઉપર સ્વસ્થપણે વિચરનારી કલમો તો કયા જંગલમાંથી ઘડી લાવીએ? [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૪૮]