અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/આપણા માત્રિક છંદો (ઝૂલણા અને હરિગીતના સંદર્ભમાં): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 129: Line 129:
પ્રાચીન ગુજરાતી દેશીઓમાં લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા વિશેષ પથરાટવાળો એમ કહી એના છે. દલપતરામે હરિગીતનો મનહરણ તે રિગીત છે.' એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીમોટી પંક્તિઓમાં રેલાવી – એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ઘણી વાર ભાવ અને અર્થ માટે અથવા નવી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનના, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો...છે. એ જ રીતે એની પૂર્વે ‘તો પછી/પૃચ્છા કરું/હૃદય વસતા નાથને/' સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો કહો કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે.
પ્રાચીન ગુજરાતી દેશીઓમાં લોકગીતોમાં સપ્તકલ રચનાઓ પાર વિનાની જોવા મળે છે એમ પાઠકસાહેબ કહે છે. ઝૂલણાના દાલદાને સ્થાને હરિગીતમાં બે માત્રા વધુ છે અને એનો સંધિ દાદાલદા વિશેષ પથરાટવાળો એમ કહી એના છે. દલપતરામે હરિગીતનો મનહરણ તે રિગીત છે.' એમ કહી એના સંધિઓના આવર્તનથી મનોહરતા પ્રગટ થાય છે એમ કહ્યું છે. દાદાલદા સંધિનાં ચાર આવર્તનોનો ૨૮ માત્રાવાળો હરિગીત આપણે ત્યાં વિવિધ કવિઓ દ્વારા પ્રયોજાયો છે અને એના સંધિઓને નાનીમોટી પંક્તિઓમાં રેલાવી – એના ગુરુઓને જરૂર પ્રમાણે લઘુઓમાં પ્રસરાવી એનું વિશિષ્ટ રૂપ નિપજાવ્યું છે. નર્મદથી આરંભી નિરંજન સુધી અને પછી અદ્યતન કવિઓએ પણ હરિગીતના સપ્તકલ સંધિને ઘણી વાર ભાવ અને અર્થ માટે અથવા નવી છંદોભંગિની નિજી જરૂર ઊભી થતાં કે વૈવિધ્ય ખાતર આકર્ષક રીતે પ્રયોજ્યો છે. શ્રી ચિનુ મોદીના બાહુક' કાવ્યમાં અછાંદસ સાથે છંદોનો પણ વિનિયોગ થયો છે અને એમાં ‘ગજગામિની, મૃગલોચની, ચંદ્રાનના, કુચકામિની' જેવા હરિગીતના સંધિઓને એમાં સહજ સ્થાન મળ્યું છે - અને એ દ્વારા પ્રેમાનંદના ‘નળાખ્યાન' સાથે એનું અનુસંધાન કરાવી આપવામાં એ સહજતાથી પ્રયોજાયો...છે. એ જ રીતે એની પૂર્વે ‘તો પછી/પૃચ્છા કરું/હૃદય વસતા નાથને/' સપ્તકલ સંધિ સાથે ખંડિત સંધિવાળા સપ્તકલના લયનો કહો કે, વિષમ હરિગીતનો પ્રયોગ ગદ્યલયમાં વણાઈ ગયેલો દેખાય છે.
અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ {{Poem2Close}}<poem>સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -  
અર્વાચીન કવિતાના આરંભે દલપતરામે કહ્યું આજ તે ઉરમાં ધરો, સઘળા સભાસદ સ્નેહથી/ગુજરાતી ભાષા ગુણવંતી, પણ દુર્બળી થઈ દેહથી' જેવી અનેક પંક્તિઓમાં એનો દુર્બળ પ્રયોગ કરેલો પણ જોવા મળે છે. પણ જય જય જગત કર્તાર ભવ ભર્તાર ભાવભીતિ હરા' જેવી કેટલીક પંક્તિઓમાં દા બીજને સ્થાને લઘુરૂપો પ્રયોજાવા છતાં છંદની ગતિ {{Poem2Close}}<poem>સહજપણે ચાલે છે. મણિલાલે વનવર્ણનમાં -  
મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
{{Poem2Close}}<poem>મંદ મંદ સમીર જે તરુકુંજમાં બહુ મ્હાલતો,  
ગિરિગહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’ </poem>{{Poem2Open}}
ગિરિગહ્વરે અથડાઈ મીઠા રાગ મધુ આલાપતો.’ </poem>{{Poem2Open}}
–માં મંદ સમી૨ના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તલમાં બરાબર ઉઠાવ આપ્યો છે.  
–માં મંદ સમી૨ના અથડાવાથી પ્રગટતા મીઠા આલાપને દાલદાદાના સપ્તલમાં બરાબર ઉઠાવ આપ્યો છે.  
Line 183: Line 183:
‘ગુલબાસની સોડમાં’, ‘ગાતું હતું યૌવન' વગેરે કાવ્યોમાં પણ હરિગીતની આવી જ ચાલ દેખાય છે.  
‘ગુલબાસની સોડમાં’, ‘ગાતું હતું યૌવન' વગેરે કાવ્યોમાં પણ હરિગીતની આવી જ ચાલ દેખાય છે.  
સુન્દરમ્ના હરિગીતનો એક વધુ પ્રયોગ જોઈએ :  
સુન્દરમ્ના હરિગીતનો એક વધુ પ્રયોગ જોઈએ :  
મેં ચંદ્રને જોયો. ચકાસી  
{{Poem2Close}}<poem>મેં ચંદ્રને જોયો. ચકાસી  
ને વળી જોયો તપાસી  
ને વળી જોયો તપાસી  
ને વળી ચાખ્યો અદાથી  
ને વળી ચાખ્યો અદાથી  
Line 190: Line 190:
કે ભરી બટકુંય મોટું લીધ મુખથી  
કે ભરી બટકુંય મોટું લીધ મુખથી  
ને ગળ્યો લાગ્યો ઘણો! તો કદી ફિક્કોય લાગ્યો  
ને ગળ્યો લાગ્યો ઘણો! તો કદી ફિક્કોય લાગ્યો  
ને કરી થૂ થૂ તજ્યો મેં મુખ થકી.'  
ને કરી થૂ થૂ તજ્યો મેં મુખ થકી.' </poem>{{Poem2Open}}
 
આ પણ પરંપરિત હરિગીતનો પ્રયોગ છે. બે દાલદાદા સંધિ પછી આવતો દા પછીની પંક્તિમાં ભળી દાલદાદાનો આખો સંધિ પૂરો કરતો જાય છે અને છંદ અનવરુદ્ધ ગતિએ આગળ ધપે છે. ‘પતાસાની સમો' કહી ‘દાલદાદા' સંધિ પૂરો કરવાને બદલે ‘સદેશ' કહી ‘શ' ને બે માત્રા જેટલો ભાર આપી પંક્તિખંડ પૂરો કરવા ઇચ્છે છે. એને ‘કણ કણ'માં જોવા માટે બે ગુરુને બદલે ચાર લઘુરૂપો ક્રિયાને પ્રત્યક્ષ કરવા ઉપકારક બને છે. ‘તો કદી ફિક્કોય'થી સપ્તકલ સંધિનું દાદાલદા રૂપ બદલાઈ દાલદાદા બને છે અને એ ભાવવળાંકને સહાયરૂપ પણ થાય છે.  
આ પણ પરંપરિત હરિગીતનો પ્રયોગ છે. બે દાલદાદા સંધિ પછી આવતો દા પછીની પંક્તિમાં ભળી દાલદાદાનો આખો સંધિ પૂરો કરતો જાય છે અને છંદ અનવરુદ્ધ ગતિએ આગળ ધપે છે. ‘પતાસાની સમો' કહી ‘દાલદાદા' સંધિ પૂરો કરવાને બદલે ‘સદેશ' કહી ‘શ' ને બે માત્રા જેટલો ભાર આપી પંક્તિખંડ પૂરો કરવા ઇચ્છે છે. એને ‘કણ કણ'માં જોવા માટે બે ગુરુને બદલે ચાર લઘુરૂપો ક્રિયાને પ્રત્યક્ષ કરવા ઉપકારક બને છે. ‘તો કદી ફિક્કોય'થી સપ્તકલ સંધિનું દાદાલદા રૂપ બદલાઈ દાલદાદા બને છે અને એ ભાવવળાંકને સહાયરૂપ પણ થાય છે.  
ઉમાશંકરે પણ અનેક માત્રમેળ રચનાઓ કરી છે. એમના ગુલબંકી અને વનવેલીના પ્રયોગો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. હરિગીતને પણ એમણે સારી રીતે પલોટ્યો છે. ‘આતિથ્ય’માં એમના કેટલાક છંદપ્રયોગો નવીન છે. ‘ગ્રીષ્મગીતા' કાવ્યનો આરંભ જુઓ :  
ઉમાશંકરે પણ અનેક માત્રમેળ રચનાઓ કરી છે. એમના ગુલબંકી અને વનવેલીના પ્રયોગો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. હરિગીતને પણ એમણે સારી રીતે પલોટ્યો છે. ‘આતિથ્ય’માં એમના કેટલાક છંદપ્રયોગો નવીન છે. ‘ગ્રીષ્મગીતા' કાવ્યનો આરંભ જુઓ :  
વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના,  
{{Poem2Close}}<poem>વિરમતા સૌ સ્વર મૃદુલ કોમલ, વસંતલ ફાગના,  
જાગ્યા અનાહત નાદ સહસા મત્ત તથા વૈરાગના!'  
જાગ્યા અનાહત નાદ સહસા મત્ત તથા વૈરાગના!' </poem>{{Poem2Open}}
પહેલી બે સંધિ દાલદાદા દાલદાદા પછી દાદાલદા દાદાલદા-માં સરકે છે અને બીજી પંક્તિમાં દાદાલદાનું સાતત્ય ચાલુ રહે છે.' તરત ત્રીજી પંક્તિ,  
પહેલી બે સંધિ દાલદાદા દાલદાદા પછી દાદાલદા દાદાલદા-માં સરકે છે અને બીજી પંક્તિમાં દાદાલદાનું સાતત્ય ચાલુ રહે છે.' તરત ત્રીજી પંક્તિ,  
જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો.’  
જટાજૂટ વિખેરતો જોગી ઉનાળો આવિયો.’  
Line 201: Line 202:
દાદા લદા/દા દાલદા/દા દાલદા / દાદા લંદા/દા દાલદા હરિગીતના ચારને બદલે પાંચ સપ્તકલ સંધિઓ અડીખમ લીમડાને ઝુલાવી રહે છે. વિવિધ વાક્ભંગિઓને નાની-મોટી સંધિઓ ઝીલી રહે છે. લયલીલાની નવનવી છટાઓ એમના માત્રા-છંદોમાં પ્રગટી રહે છે.  
દાદા લદા/દા દાલદા/દા દાલદા / દાદા લંદા/દા દાલદા હરિગીતના ચારને બદલે પાંચ સપ્તકલ સંધિઓ અડીખમ લીમડાને ઝુલાવી રહે છે. વિવિધ વાક્ભંગિઓને નાની-મોટી સંધિઓ ઝીલી રહે છે. લયલીલાની નવનવી છટાઓ એમના માત્રા-છંદોમાં પ્રગટી રહે છે.  
'છિન્નભિન્ન છું' જેવા કાવ્યમાં આરંભમાં જ હરિગીતની સંધિ ડોકાઈ જાય છે અને પછી ભિન્ન ભિન્ન કુળના અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ-લયમેળના લયો અનેક પંક્તિઓમાંથી પ્રગટતા અનુભવાય છે. અને કાવ્યલય ગદ્યના સીમાડાને સ્પર્શતો આગળ ધપતો પ્રતીત થાય છે. ‘ભીતરી દુશ્મન' કાવ્યમાં જઈ ચઢ્યો હું એક દિન કો સુરી ગુણીજનની કને – એમ સહજ રીતે હરિગીતના સાકલમાં આગળ ચાલે છે.  
'છિન્નભિન્ન છું' જેવા કાવ્યમાં આરંભમાં જ હરિગીતની સંધિ ડોકાઈ જાય છે અને પછી ભિન્ન ભિન્ન કુળના અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ-લયમેળના લયો અનેક પંક્તિઓમાંથી પ્રગટતા અનુભવાય છે. અને કાવ્યલય ગદ્યના સીમાડાને સ્પર્શતો આગળ ધપતો પ્રતીત થાય છે. ‘ભીતરી દુશ્મન' કાવ્યમાં જઈ ચઢ્યો હું એક દિન કો સુરી ગુણીજનની કને – એમ સહજ રીતે હરિગીતના સાકલમાં આગળ ચાલે છે.  
કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો  
{{Poem2Close}}<poem>કેમ કિંતુ અવાજ મારો લાગતો મુજને જ ખોટો  
મુખ થકી વાંચ્યે જતો, ને અર્થનો મારા જ મનમાં વળે ગોટો.'  
મુખ થકી વાંચ્યે જતો, ને અર્થનો મારા જ મનમાં વળે ગોટો.' </poem>{{Poem2Open}}
ચાર સપ્તક્લો પછી બીજી પંક્તિમાં લદાદાદાનું આવતું સક્ષકલ ‘ખોટો' સાથે ‘ગોટો'નો પ્રાસ મેળવાવી લદાદાદામાં સરી ભાવને વાણીના સહજ લહેકાને ઉપસાવવામાં સફળ થાય છે. ગદ્યવળોટો માટે એમણે સંધિઓને ખંડિત કરી એમની પાસેથી ધાર્યું કામ લીધું છે.  
ચાર સપ્તક્લો પછી બીજી પંક્તિમાં લદાદાદાનું આવતું સક્ષકલ ‘ખોટો' સાથે ‘ગોટો'નો પ્રાસ મેળવાવી લદાદાદામાં સરી ભાવને વાણીના સહજ લહેકાને ઉપસાવવામાં સફળ થાય છે. ગદ્યવળોટો માટે એમણે સંધિઓને ખંડિત કરી એમની પાસેથી ધાર્યું કામ લીધું છે.  
માર્ગમાં કંટક પડ્યા  
{{Poem2Close}}<poem>માર્ગમાં કંટક પડ્યા  
સૌને નડ્યા;  
સૌને નડ્યા;  
બાજુ મૂક્યા ઊંચકી  
બાજુ મૂક્યા ઊંચકી  
તે દી નકી  
તે દી નકી  
જન્મ ગાંધી બાપુનો  
જન્મ ગાંધી બાપુનો  
સત્યનો અમોઘ મોંઘા જાદુનો.  
સત્યનો અમોઘ મોંઘા જાદુનો. </poem>{{Poem2Open}}
આપણા માત્રિક છંદો  
આપણા માત્રિક છંદો  
‘ગાંધીજયંતી તે દિને' એ કાવ્યનો આ પરંપરિત હરિગીત દાલદાદા અને લદાદાદાના લયવળોટો સાથે સહજ પ્રાસરચનાથી અર્થને અભિવ્યક્ત કરવામાં પ્રભાવક બન્યો છે.  
‘ગાંધીજયંતી તે દિને' એ કાવ્યનો આ પરંપરિત હરિગીત દાલદાદા અને લદાદાદાના લયવળોટો સાથે સહજ પ્રાસરચનાથી અર્થને અભિવ્યક્ત કરવામાં પ્રભાવક બન્યો છે.  
Line 218: Line 219:
દાદાલદાનું આ પરંપરિત રૂપ ગદ્યની સમીપ જતું લાગે છે. ગદ્યઉચ્ચારણની વિવિધ ભંગિઓ અહીં હરિગીતનાં ચોસલાંમાં સહજ રીતે ગોઠવાઈને છંદનું નવું પરિમાણ સિદ્ધ કરે છે. સપ્તકલ સંધિઓનાં આવાં પરંપરિત રૂપોને ઉમાશંકરે વિવિધ વાણીમરોડોમાં અનેક કાવ્યોમાં પ્રયોજ્યાં છે.  
દાદાલદાનું આ પરંપરિત રૂપ ગદ્યની સમીપ જતું લાગે છે. ગદ્યઉચ્ચારણની વિવિધ ભંગિઓ અહીં હરિગીતનાં ચોસલાંમાં સહજ રીતે ગોઠવાઈને છંદનું નવું પરિમાણ સિદ્ધ કરે છે. સપ્તકલ સંધિઓનાં આવાં પરંપરિત રૂપોને ઉમાશંકરે વિવિધ વાણીમરોડોમાં અનેક કાવ્યોમાં પ્રયોજ્યાં છે.  
આ પછી આપણે કવિ રાજેન્દ્ર શાહના પ્રયોગો જોઈએ. માત્રા-છંદને પરંપરિત રીતે પ્રયોજવામાં રાજેન્દ્રની પ્રવીણતા અનેક સ્થળે પ્રતીત થાય છે અક્ષરમેળ ઉપજાતિ, સંખ્યામેળ મનહર અને આગળ જોયેલ માત્રામેળ ઝૂલણાનાં પરંપરિત રૂપોમાં એમણે સારી સિદ્ધિ મેળવી છે. ખાસ તો, સંવાદમાં એમણે કરેલા પરંપરિતના પ્રયોગો આપણે ત્યાં વિશેષ ધ્યાન ખેંચે છે.  
આ પછી આપણે કવિ રાજેન્દ્ર શાહના પ્રયોગો જોઈએ. માત્રા-છંદને પરંપરિત રીતે પ્રયોજવામાં રાજેન્દ્રની પ્રવીણતા અનેક સ્થળે પ્રતીત થાય છે અક્ષરમેળ ઉપજાતિ, સંખ્યામેળ મનહર અને આગળ જોયેલ માત્રામેળ ઝૂલણાનાં પરંપરિત રૂપોમાં એમણે સારી સિદ્ધિ મેળવી છે. ખાસ તો, સંવાદમાં એમણે કરેલા પરંપરિતના પ્રયોગો આપણે ત્યાં વિશેષ ધ્યાન ખેંચે છે.  
‘આ ધરિત્રી  
{{Poem2Close}}<poem>‘આ ધરિત્રી  
મેઘનાં આલિંગનોથી વિશ્વથ;  
મેઘનાં આલિંગનોથી વિશ્વથ;  
વિશ્વની એકાન્ત કુંજે, એકલી જાણે રતિ  
વિશ્વની એકાન્ત કુંજે, એકલી જાણે રતિ  
વેગળી વાટે વહ્યો છે મન્મથ.'  
વેગળી વાટે વહ્યો છે મન્મથ.' </poem>{{Poem2Open}}
દાલદાદાનાં આવર્તનોમાં પરંપરિત બની, પંક્તિખંડોના વિભાજન દ્વારા એક રમણીય દૃશ્યનાં બંને ચિત્રોને અહીં અંકિત કરે છે.  
દાલદાદાનાં આવર્તનોમાં પરંપરિત બની, પંક્તિખંડોના વિભાજન દ્વારા એક રમણીય દૃશ્યનાં બંને ચિત્રોને અહીં અંકિત કરે છે.  
સંવાદમાં વહેતા હરિગીતનો એક પ્રયોગ જોઈએ :  
સંવાદમાં વહેતા હરિગીતનો એક પ્રયોગ જોઈએ :  
“પુ : એક ફૂલ એવું સખી  
{{Poem2Close}}<poem>“પુ : એક ફૂલ એવું સખી  
જે કઠિન  
જે કઠિન  
કિંતુ સ્વાદમાં...  
કિંતુ સ્વાદમાં...  
Line 234: Line 235:
પુ : પ્રાશન થકીયે જે  
પુ : પ્રાશન થકીયે જે  
ન કિંચિત્ પણ બની રે’  
ન કિંચિત્ પણ બની રે’  
અલ્પ.”  
અલ્પ.” </poem>{{Poem2Open}}
અગાઉ તપાસેલ ઝૂલણામાં તેમ અહીં હરિગીતમાં પણ રાજેન્દ્ર સંવાદમાં પંક્તિ-ખંડોમાં દા બીજથી આરંભી દાદાલદાનાં વિસ્તૃત બીજ સુધી વિસ્તારીને સંવાદના વાણીલહેકાને બરાબર પ્રયોજે છે. માનવહૃદયના કોમલ ભાવોને આલેખવામાં તેમ ક્વચિત્ હળવાશભર્યા વાતાવરણને નિરૂપવામાં આ પંચકલો તેમ સકલોની સંધિઓના પ્રયોગો રાજેન્દ્ર ઠીક ઠીક કર્યા છે.  
અગાઉ તપાસેલ ઝૂલણામાં તેમ અહીં હરિગીતમાં પણ રાજેન્દ્ર સંવાદમાં પંક્તિ-ખંડોમાં દા બીજથી આરંભી દાદાલદાનાં વિસ્તૃત બીજ સુધી વિસ્તારીને સંવાદના વાણીલહેકાને બરાબર પ્રયોજે છે. માનવહૃદયના કોમલ ભાવોને આલેખવામાં તેમ ક્વચિત્ હળવાશભર્યા વાતાવરણને નિરૂપવામાં આ પંચકલો તેમ સકલોની સંધિઓના પ્રયોગો રાજેન્દ્ર ઠીક ઠીક કર્યા છે.  
હવે જોઈએ કવિ નિરંજન ભગતના પ્રયોગો. નિરંજને પણ રાજેન્દ્રની જેમ છંદોને સંવાદક્ષમ બનાવ્યા છે; પરંતુ નિરંજનની વિશેષતા વાતચીતની લઢણોને અત્યંત સબળતાથી એના વિવિધ કાકુઓ સાથે પરંપરિત છંદોમાં પ્રયોજવામાં રહેલી છે. માત્રિક છંદ હરિગીતને એમણે એક નવું પરિમાણ આપ્યું છે. ઉમાશંકરે છંદને ગદ્યની નજીક લઈ જવા માટે માત્રિક છંદોના વિશિષ્ટ પ્રયોગો કર્યા. રાજેન્દ્ર એમને પરંપરિત રીતે વિકસાવવા સંવાદક્ષમ બનાવી સફળતા મેળવી, અને નિરંજને એ છંદોને બોલચાલની ભાષાના લયને બરાબર ઝીલી શકે એવા પાઠ્ય પઘવાહન તરીકે પળોટ્યા.
હવે જોઈએ કવિ નિરંજન ભગતના પ્રયોગો. નિરંજને પણ રાજેન્દ્રની જેમ છંદોને સંવાદક્ષમ બનાવ્યા છે; પરંતુ નિરંજનની વિશેષતા વાતચીતની લઢણોને અત્યંત સબળતાથી એના વિવિધ કાકુઓ સાથે પરંપરિત છંદોમાં પ્રયોજવામાં રહેલી છે. માત્રિક છંદ હરિગીતને એમણે એક નવું પરિમાણ આપ્યું છે. ઉમાશંકરે છંદને ગદ્યની નજીક લઈ જવા માટે માત્રિક છંદોના વિશિષ્ટ પ્રયોગો કર્યા. રાજેન્દ્ર એમને પરંપરિત રીતે વિકસાવવા સંવાદક્ષમ બનાવી સફળતા મેળવી, અને નિરંજને એ છંદોને બોલચાલની ભાષાના લયને બરાબર ઝીલી શકે એવા પાઠ્ય પઘવાહન તરીકે પળોટ્યા.
Line 241: Line 242:
હૈ ‘આર્ય'ની અપમાનિતા, તું ક્યાં જશે?  
હૈ ‘આર્ય'ની અપમાનિતા, તું ક્યાં જશે?  
તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે! કારાગૃહોને કુંજ માની/છાની છાની,/ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા,/ ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની/જોઈને તેં આજ એની રાજધાની?  
તું માનવીનું સૃજન, તારું સ્થાન, મુક્તિ, સ્વર્ગમાં તો ના હશે! કારાગૃહોને કુંજ માની/છાની છાની,/ત્યાં રચી તવ પ્રેમની કેવી કથા,/ ત્યાં અશ્રુથી જેણે ચૂમી તવ ચરણપાની/જોઈને તેં આજ એની રાજધાની?  
આમ તો ત્રેવીસનો છું પણ મુજ મહીં જે મુક્તજન  
{{Poem2Close}}<poem>આમ તો ત્રેવીસનો છું પણ મુજ મહીં જે મુક્તજન  
એને અહીં જન્મ્યે
એને અહીં જન્મ્યે
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ.”  
હજી તો થાય છે આજે જ પૂરાં વર્ષ ત્રણ.” </poem>{{Poem2Open}}
એક જ છંદનાં આ બે રૂપ છે. પહેલા કાવ્યનો શ્વાસભર્યો વેગ અને બીજાની ધીરે ધીરે આગળ વધતી ગતિ એના સંધિ-ખંડોના વિન્યાસમાં પ્રગટ થાય છે; પણ જોઈને તેં આજ એની રાજધાની?'નો. વાણી-લહેકો અને ‘એવી કથા, કેવી?/કહું? કે મુક્તિ તો માતા સમી,/ને માત તો દેવી...' એમ ધીરે ધીરે ગદ્યના મરોડોને ઉપસાવતું નિરૂપણ, છંદના કિનારાઓમાં વહેતું છતું, વાતચીતના લયને બરાબર પ્રગટ કરી રહે છે.  
એક જ છંદનાં આ બે રૂપ છે. પહેલા કાવ્યનો શ્વાસભર્યો વેગ અને બીજાની ધીરે ધીરે આગળ વધતી ગતિ એના સંધિ-ખંડોના વિન્યાસમાં પ્રગટ થાય છે; પણ જોઈને તેં આજ એની રાજધાની?'નો. વાણી-લહેકો અને ‘એવી કથા, કેવી?/કહું? કે મુક્તિ તો માતા સમી,/ને માત તો દેવી...' એમ ધીરે ધીરે ગદ્યના મરોડોને ઉપસાવતું નિરૂપણ, છંદના કિનારાઓમાં વહેતું છતું, વાતચીતના લયને બરાબર પ્રગટ કરી રહે છે.  
કલાકોથી મચ્યો. વરસાદનો કકળાટ,  
{{Poem2Close}}<poem>કલાકોથી મચ્યો. વરસાદનો કકળાટ,  
ના ના, આટલો કઠતો ન 'તો ઉકળાટ,  
ના ના, આટલો કઠતો ન 'તો ઉકળાટ,  
શો મોટ્ટા અવાજે, એક સૂર રસહીન લાંબા  
શો મોટ્ટા અવાજે, એક સૂર રસહીન લાંબા  
કોઈ ભાષણના સમો દે ત્રાસ.'  
કોઈ ભાષણના સમો દે ત્રાસ.' </poem>{{Poem2Open}}
પ્રથમ સંધિની બે માત્રા ખંડિત કરી લદાદા રૂપથી આરંભી પછી સળંગ દાલદાદાનાં આવર્તિત સંધિરૂપોમાં અને છેલ્લી પંક્તિમાં તો કકળાટનો કંટાળો વ્યક્ત કરવા એને છ સંધિરૂપો સુધી લંબાવીને અને બારીબારણાં સૌ બંધ', ‘હું આંખો છતાંયે અંધ એમાં રોજબરોજની વાણીની અભિવ્યક્તિને અનાયાસે વણી લે છે.  
પ્રથમ સંધિની બે માત્રા ખંડિત કરી લદાદા રૂપથી આરંભી પછી સળંગ દાલદાદાનાં આવર્તિત સંધિરૂપોમાં અને છેલ્લી પંક્તિમાં તો કકળાટનો કંટાળો વ્યક્ત કરવા એને છ સંધિરૂપો સુધી લંબાવીને અને બારીબારણાં સૌ બંધ', ‘હું આંખો છતાંયે અંધ એમાં રોજબરોજની વાણીની અભિવ્યક્તિને અનાયાસે વણી લે છે.  
નિરંજને ‘પ્રવાલદ્વીપ'માં અને અન્યત્ર ‘લદા', ‘દાલ’ એ ત્રિકલ સંધિનાં આવર્તનોમાં પણ આવી જ સબળતા પ્રગટ કરી છે. પરંતુ એમનાં ‘પાત્રો’માં પરંપરિત હરિગીતનો થયેલો પ્રયોગ આપણે ત્યાં અપૂર્વ છે.  
નિરંજને ‘પ્રવાલદ્વીપ'માં અને અન્યત્ર ‘લદા', ‘દાલ’ એ ત્રિકલ સંધિનાં આવર્તનોમાં પણ આવી જ સબળતા પ્રગટ કરી છે. પરંતુ એમનાં ‘પાત્રો’માં પરંપરિત હરિગીતનો થયેલો પ્રયોગ આપણે ત્યાં અપૂર્વ છે.  
“...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો!  
{{Poem2Close}}<poem>“...બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો!  
તમે બોલ્યા વિના રહેશો નહીં,  
તમે બોલ્યા વિના રહેશો નહીં,  
તો જાઓ. માનવમેદની મહીં  
તો જાઓ. માનવમેદની મહીં  
દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલે ને લાખ ભાંડો!”  
દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલે ને લાખ ભાંડો!” </poem>{{Poem2Open}}
કવિની આંગળીના અભિનય સાથેના આ ઉદ્ગારો, એના રોષને બરાબર પ્રગટ કરતા જાય છે. હરિગીતની સપ્તકલ સંધિઓમાં એ સહજતાથી ઝિલાયા છે, અને આ છંદ છે એવો વહેમ સરખો ન પડે એટલા બધા ગદ્યની સમીપ છે.  
કવિની આંગળીના અભિનય સાથેના આ ઉદ્ગારો, એના રોષને બરાબર પ્રગટ કરતા જાય છે. હરિગીતની સપ્તકલ સંધિઓમાં એ સહજતાથી ઝિલાયા છે, અને આ છંદ છે એવો વહેમ સરખો ન પડે એટલા બધા ગદ્યની સમીપ છે.  
‘ફેરિયો'માં  
{{Poem2Close}}<poem>‘ફેરિયો'માં  
જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી  
જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી  
છે  
છે  
Line 268: Line 269:
અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી  
અમારી જાત જીવે છે, પ્રભુની મહેરબાનીથી  
સદા જીવશે જ ધરતી પર,  
સદા જીવશે જ ધરતી પર,  
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો એ જ ‘ફરતી' પર.”  
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો એ જ ‘ફરતી' પર.” </poem>{{Poem2Open}}
આ સર્વ ઉક્તિઓમાં ગદ્યની નજીકના બોલચાલના લહેકા, વાણીની વિવિધ ભંગિઓ સાથે પ્રગટ થાય છે. ભાગ્યે જ એમાં તત્સમ શબ્દો પ્રયોજાયા છે. તદ્ભવ શબ્દોમાં કવિ આસાનીથી કટાક્ષની વેધકતા લાવે છે, દંભ પર પ્રહારો કરે છે, રોષ પ્રગટ કરે છે અને વાણીના વેગીલા પ્રવાહમાં, કાકુઓને ઉઠાવ આપતા જઈ, અર્થવ્યંજકતા સિદ્ધ કરે છે. ‘બસ ચૂપ રહો', ‘આંધળા રહેશો નહીં', ‘લાગણી? લટકાં કહો', ‘છૂરી સમી ભોંકાય ના' જેવા અનેક પંક્તિખંડોમાં નિરંજનનો કવિમિજાજ વેધકતાથી ઉઠાવ પામ્યો છે. લઘુ-ગુરુસ્થાનની નિશ્ચિતતા ન હોવાથી યથેચ્છ લઘુગુરુ રૂપોમાં એક સંધિ બીજા સંધિમાં સહજતાથી ભળતો આગળ ધપતો – વેગપૂર્વક વહેતો કથનને ધારદાર બનાવે છે. આ માત્રામેળી પ્રવાહમાં તળપદા-તદ્ભવ શબ્દોના અનેક પર્યાયો સંધિની લવચીકતાને કારણે કવિ ઉપયોગમાં લઈ શકે છે. બોલચાલની ભાષાનો લય અહીં જીવંત લાગે છે. કહો કે, ધ્વનિમયતાની દૃષ્ટિએ પણ બોલચાલની ભાષાના લયનું અવલંબન અહીં આવશ્યક બને છે.  
આ સર્વ ઉક્તિઓમાં ગદ્યની નજીકના બોલચાલના લહેકા, વાણીની વિવિધ ભંગિઓ સાથે પ્રગટ થાય છે. ભાગ્યે જ એમાં તત્સમ શબ્દો પ્રયોજાયા છે. તદ્ભવ શબ્દોમાં કવિ આસાનીથી કટાક્ષની વેધકતા લાવે છે, દંભ પર પ્રહારો કરે છે, રોષ પ્રગટ કરે છે અને વાણીના વેગીલા પ્રવાહમાં, કાકુઓને ઉઠાવ આપતા જઈ, અર્થવ્યંજકતા સિદ્ધ કરે છે. ‘બસ ચૂપ રહો', ‘આંધળા રહેશો નહીં', ‘લાગણી? લટકાં કહો', ‘છૂરી સમી ભોંકાય ના' જેવા અનેક પંક્તિખંડોમાં નિરંજનનો કવિમિજાજ વેધકતાથી ઉઠાવ પામ્યો છે. લઘુ-ગુરુસ્થાનની નિશ્ચિતતા ન હોવાથી યથેચ્છ લઘુગુરુ રૂપોમાં એક સંધિ બીજા સંધિમાં સહજતાથી ભળતો આગળ ધપતો – વેગપૂર્વક વહેતો કથનને ધારદાર બનાવે છે. આ માત્રામેળી પ્રવાહમાં તળપદા-તદ્ભવ શબ્દોના અનેક પર્યાયો સંધિની લવચીકતાને કારણે કવિ ઉપયોગમાં લઈ શકે છે. બોલચાલની ભાષાનો લય અહીં જીવંત લાગે છે. કહો કે, ધ્વનિમયતાની દૃષ્ટિએ પણ બોલચાલની ભાષાના લયનું અવલંબન અહીં આવશ્યક બને છે.  
‘પાત્રો’માં જ નહીં, અન્ય લઘુક ઊર્મિકાવ્યોમાં પણ નિરંજને આ બોલચાલનો લય હરિગીતની સમકલ સંધિઓમાં આટલી જ આસાનીથી સિદ્ધ કર્યો છે.  
‘પાત્રો’માં જ નહીં, અન્ય લઘુક ઊર્મિકાવ્યોમાં પણ નિરંજને આ બોલચાલનો લય હરિગીતની સમકલ સંધિઓમાં આટલી જ આસાનીથી સિદ્ધ કર્યો છે.  
લાવો તમારો હાથ મેળવીએ  
{{Poem2Close}}<poem>લાવો તમારો હાથ મેળવીએ  
(કહું છું હાથ લંબાવી)  
(કહું છું હાથ લંબાવી)  
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું યે – ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...  
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલું યે – ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે...  
Line 280: Line 281:
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે :  
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે :  
જેનું બધાને ઠામઠેકાણું આપી શકો  
જેનું બધાને ઠામઠેકાણું આપી શકો  
તેને તમે શું ઘર કહો છો?’  
તેને તમે શું ઘર કહો છો?’ </poem>{{Poem2Open}}
પહેલા ઉદાહરણમાં દાદાલદા અને બીજામાં દાલદાદાનાં આવર્તનો છે. નિરંજન છંદને સરળતાથી ગદ્યના સીમાડે લઈ આવે છે અને વાણીના કૌવતને પ્રગટ કરે છે. કાવ્યનાટક માટે કદાચ નિરંજને પલોટેલો છંદ જ આપણને નવી સિદ્ધિઓ તરફ દોરી જનાર બને.  
પહેલા ઉદાહરણમાં દાદાલદા અને બીજામાં દાલદાદાનાં આવર્તનો છે. નિરંજન છંદને સરળતાથી ગદ્યના સીમાડે લઈ આવે છે અને વાણીના કૌવતને પ્રગટ કરે છે. કાવ્યનાટક માટે કદાચ નિરંજને પલોટેલો છંદ જ આપણને નવી સિદ્ધિઓ તરફ દોરી જનાર બને.  
આપણે ત્યાં કવિઓએ હરિગીતની આ લવચીકતાનો પણ પૂરો કસ કાઢ્યો છે. શ્રી હસમુખ પાઠકનું ‘રાજઘાટ' પરનું મુક્તક  
આપણે ત્યાં કવિઓએ હરિગીતની આ લવચીકતાનો પણ પૂરો કસ કાઢ્યો છે. શ્રી હસમુખ પાઠકનું ‘રાજઘાટ' પરનું મુક્તક  
Line 292: Line 293:
અડવડતો.’  
અડવડતો.’  
અહીં અર્થને અનુસરતા પંક્તિખંડોમાં લયની યોજનાનું મનહર રૂપ પ્રગટે છે અને સૂર્યને ચડતો–પડતો – ઠેસ ખાઈને અડવડતો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે.  
અહીં અર્થને અનુસરતા પંક્તિખંડોમાં લયની યોજનાનું મનહર રૂપ પ્રગટે છે અને સૂર્યને ચડતો–પડતો – ઠેસ ખાઈને અડવડતો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે.  
પ્રિયકાન્ત મણિયારનું ‘ખીલા' કાવ્ય  
{{Poem2Close}}<poem>પ્રિયકાન્ત મણિયારનું ‘ખીલા' કાવ્ય  
રે મકાનો બાંધવાને મેં ઘડ્યા  
રે મકાનો બાંધવાને મેં ઘડ્યા  
તે ખીલા તો અહીં જડ્યા!'  
તે ખીલા તો અહીં જડ્યા!'  
Line 299: Line 300:
કે માધવ રામાનુજનું મુક્તક  
કે માધવ રામાનુજનું મુક્તક  
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો  
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો  
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.'  
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.' {{Poem2Close}}<poem>
હરિગીતની સમકલ સંધિની પૃથુલતા ભાવની સબળ અભિવ્યક્તિ માટે કેવી કામયાબ નીવડે છે એનાં દૃષ્ટાંતો છે.  
હરિગીતની સમકલ સંધિની પૃથુલતા ભાવની સબળ અભિવ્યક્તિ માટે કેવી કામયાબ નીવડે છે એનાં દૃષ્ટાંતો છે.  
હસમુખ પાઠકે પણ નિરંજનની જેમ ‘પશુલોક'માંની ઉક્તિઓમાં હરિગીતનો બોલચાલની વાણીના લહેકામાં પ્રયોગ કરેલો છે.  
હસમુખ પાઠકે પણ નિરંજનની જેમ ‘પશુલોક'માંની ઉક્તિઓમાં હરિગીતનો બોલચાલની વાણીના લહેકામાં પ્રયોગ કરેલો છે.