અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 10: Line 10:
વર્ષ-પ્રતિવર્ષ શિક્ષણ અને તેમાંય સાહિત્યનું શિક્ષણ કટોકટીનો સામનો કરતું જાય છે એવો મારી સાથે આપ સહુનો પણ અનુભવ હશે એમ માનું છું. આથી કોઈ કાળે નહોતી તેવી અને તેટલી આજે સાહિત્યના અને તેમાંય ગુજરાતી સાહિત્યના શિક્ષણની ચિંતા કરવાનું વાજબી કારણ છે. આ માટે આપણા સહુના પ્રયત્નો સાહિત્યના શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી જન્મેલા પ્રશ્નો પ્રતિ વધુ સક્રિય બનાવવાનો સમય પાકી ગયો છે ત્યારે આપણા સંઘની જવાબદારી ભૂતકાળમાં કદી નહોતી તેટલી ગંભીર બની રહે છે. આ દિશામાં મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી છૂટવાની આ ક્ષણે અને આ સ્થળેથી મારી પ્રતિબદ્ધતા જાહે૨ કરું છું અને આપ સહુની પ્રતિબદ્ધતા એમાં અનુસ્યૂત હો એવી અપેક્ષા સેવું છું. આ બાબતે ઇતિ અલમ્!  
વર્ષ-પ્રતિવર્ષ શિક્ષણ અને તેમાંય સાહિત્યનું શિક્ષણ કટોકટીનો સામનો કરતું જાય છે એવો મારી સાથે આપ સહુનો પણ અનુભવ હશે એમ માનું છું. આથી કોઈ કાળે નહોતી તેવી અને તેટલી આજે સાહિત્યના અને તેમાંય ગુજરાતી સાહિત્યના શિક્ષણની ચિંતા કરવાનું વાજબી કારણ છે. આ માટે આપણા સહુના પ્રયત્નો સાહિત્યના શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી જન્મેલા પ્રશ્નો પ્રતિ વધુ સક્રિય બનાવવાનો સમય પાકી ગયો છે ત્યારે આપણા સંઘની જવાબદારી ભૂતકાળમાં કદી નહોતી તેટલી ગંભીર બની રહે છે. આ દિશામાં મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી છૂટવાની આ ક્ષણે અને આ સ્થળેથી મારી પ્રતિબદ્ધતા જાહે૨ કરું છું અને આપ સહુની પ્રતિબદ્ધતા એમાં અનુસ્યૂત હો એવી અપેક્ષા સેવું છું. આ બાબતે ઇતિ અલમ્!  
આજે મારે મારા વ્યાખ્યાન નિમિત્તે જે વિષયની વાત કરવી છે તે છે તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ. ઉચ્ચ શિક્ષણનાં છેલ્લાં પચાસેક વર્ષનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે સાહિત્યના અભ્યાસક્ષેત્રમાં વધુ ઝડપથી અને વ્યાપક રીતે પરિવર્તનો આવતાં રહ્યાં છે. વહેતા પ્રવાહ જેવી સાહિત્યની વિદ્યાશાખા માટે આમ થવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક યા બીજા સ્તરે, એક યા બીજી યુનિવર્સિટીમાં આધુનિકતાનું સાહિત્ય, સર્જાતું સાહિત્ય, ભારતીય સાહિત્ય, વિશ્વસાહિત્ય, ગાંધીસાહિત્ય, લોકસાહિત્ય, તુલનાત્મક સાહિત્ય આદિ અભ્યાસવિષયો . બન્યા છે. આમાં છેલ્લું ઉમેરણ તુલનાત્મક સાહિત્યનું છે.  
આજે મારે મારા વ્યાખ્યાન નિમિત્તે જે વિષયની વાત કરવી છે તે છે તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ. ઉચ્ચ શિક્ષણનાં છેલ્લાં પચાસેક વર્ષનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે સાહિત્યના અભ્યાસક્ષેત્રમાં વધુ ઝડપથી અને વ્યાપક રીતે પરિવર્તનો આવતાં રહ્યાં છે. વહેતા પ્રવાહ જેવી સાહિત્યની વિદ્યાશાખા માટે આમ થવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક યા બીજા સ્તરે, એક યા બીજી યુનિવર્સિટીમાં આધુનિકતાનું સાહિત્ય, સર્જાતું સાહિત્ય, ભારતીય સાહિત્ય, વિશ્વસાહિત્ય, ગાંધીસાહિત્ય, લોકસાહિત્ય, તુલનાત્મક સાહિત્ય આદિ અભ્યાસવિષયો . બન્યા છે. આમાં છેલ્લું ઉમેરણ તુલનાત્મક સાહિત્યનું છે.  
તુલનાત્મક સાહિત્યનો પ્રથમ પ્રયોગ ઈ. સ. ૧૮૮૬માં લંડનની કૅગાન પોલ ટ્રેન્ચ ઍન્ડ કંપની દ્વારા “ધી ઇન્ટરનૅશનલ સાયન્ટિફિક સીરિઝ''માં હચેસન મૅકોલે પોસનેટે પ્રકટ કરેલા પોતાના ગ્રંથના શીર્ષકમાં કર્યો હતો. પછી તો આ અભિગમ અને તેના સ્વરૂપની ધીમે ધીમે સ્પષ્ટતા થતી આવી અને આ સદીના ત્રીજા દાયકામાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિવેચનના એક અભિગમ તરીકે સ્વીકાર થતો આવ્યો. આ સદીના બીજા ચરણને અંતે આ અભિગમનો મહિમા સ્વીકારાયો અને જર્મન, ફ્રેન્ચ તથા અમેરિકન ‘સ્કૂલ' રૂપે એ ત્રણ પ્રકારે વિકસતો ગયો. આ અભિગમના જર્મન પુરસ્કર્તાઓ વિલ્હેમ ફોન તેગહેમ, ફ્રેન્ચ પુરસ્કર્તા પિકવા અને રુસો તથા રેને વેલેક તેમ જ અમેરિકન પુરસ્કર્તા લેઇન કૂપર, એ. ઓવેન ઑસ્ટ્રિજ અને એસ. એસ. પ્રેવર આદિએ આ અભિગમના એક યા બીજા મુદ્દા પર વત્તોઓછો ભાર મૂક્યો છે; પરંતુ સાહિત્યના વિવેચનના એક અભિગમ લેખે કે વિવેચનની એક પદ્ધતિ તરીકે ‘તુલનાત્મક સાહિત્ય'ની ચર્ચા કરવાનું મને અહીં અભિપ્રેત નથી.  
તુલનાત્મક સાહિત્યનો પ્રથમ પ્રયોગ ઈ. સ. ૧૮૮૬માં લંડનની કૅગાન પોલ ટ્રેન્ચ ઍન્ડ કંપની દ્વારા “ધી ઇન્ટરનૅશનલ સાયન્ટિફિક સીરિઝ”માં હચેસન મૅકોલે પોસનેટે પ્રકટ કરેલા પોતાના ગ્રંથના શીર્ષકમાં કર્યો હતો. પછી તો આ અભિગમ અને તેના સ્વરૂપની ધીમે ધીમે સ્પષ્ટતા થતી આવી અને આ સદીના ત્રીજા દાયકામાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિવેચનના એક અભિગમ તરીકે સ્વીકાર થતો આવ્યો. આ સદીના બીજા ચરણને અંતે આ અભિગમનો મહિમા સ્વીકારાયો અને જર્મન, ફ્રેન્ચ તથા અમેરિકન ‘સ્કૂલ' રૂપે એ ત્રણ પ્રકારે વિકસતો ગયો. આ અભિગમના જર્મન પુરસ્કર્તાઓ વિલ્હેમ ફોન તેગહેમ, ફ્રેન્ચ પુરસ્કર્તા પિકવા અને રુસો તથા રેને વેલેક તેમ જ અમેરિકન પુરસ્કર્તા લેઇન કૂપર, એ. ઓવેન ઑસ્ટ્રિજ અને એસ. એસ. પ્રેવર આદિએ આ અભિગમના એક યા બીજા મુદ્દા પર વત્તોઓછો ભાર મૂક્યો છે; પરંતુ સાહિત્યના વિવેચનના એક અભિગમ લેખે કે વિવેચનની એક પદ્ધતિ તરીકે ‘તુલનાત્મક સાહિત્ય'ની ચર્ચા કરવાનું મને અહીં અભિપ્રેત નથી.  
સાહિત્યની વિકસતી અને વિસ્તરતી ક્ષિતિજોની સાથે એમાં સાહિત્યવિવેચનના અવનવા અભિગમો આવતા-જતા રહ્યા છે. આનો વિનિયોગ એક તરફથી પ્રત્યક્ષ-પરોક્ષ વિવેચન-પ્રવૃત્તિમાં થતો હોય છે તો બીજી તરફથી સાહિત્ય-શિક્ષણના ક્ષેત્રમાં એનો આનુષંગિક પ્રવેશ થતો હોય છે. આજે ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓમાં તથા અન્ય કેટલાંક રાજ્યોની કેટલીક યુનિવર્સિટીઓમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિષય બહુધા અનુસ્નાતક કક્ષાએ શીખવાય છે. વળી, આપણે ત્યાં તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તો તુલનાત્મક સાહિત્યનો અનુસ્નાતક વિભાગ શરૂ કરાયો છે ત્યારે આ વિષયના શિક્ષણનો વધતો જતો મહિમા બૂઝીને એ અંગે વિચારણા થવી અનિવાર્ય બને છે.  
સાહિત્યની વિકસતી અને વિસ્તરતી ક્ષિતિજોની સાથે એમાં સાહિત્યવિવેચનના અવનવા અભિગમો આવતા-જતા રહ્યા છે. આનો વિનિયોગ એક તરફથી પ્રત્યક્ષ-પરોક્ષ વિવેચન-પ્રવૃત્તિમાં થતો હોય છે તો બીજી તરફથી સાહિત્ય-શિક્ષણના ક્ષેત્રમાં એનો આનુષંગિક પ્રવેશ થતો હોય છે. આજે ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓમાં તથા અન્ય કેટલાંક રાજ્યોની કેટલીક યુનિવર્સિટીઓમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિષય બહુધા અનુસ્નાતક કક્ષાએ શીખવાય છે. વળી, આપણે ત્યાં તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તો તુલનાત્મક સાહિત્યનો અનુસ્નાતક વિભાગ શરૂ કરાયો છે ત્યારે આ વિષયના શિક્ષણનો વધતો જતો મહિમા બૂઝીને એ અંગે વિચારણા થવી અનિવાર્ય બને છે.  
પ્રથમ અહીં એક સ્મરણ નોંધું છું. પિસ્તાળીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે. ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં હતો. સંસ્કૃતના વિષયમાં કાલિદાસનું ‘શાકુન્તલ' ભણાવાતું હતું. અધ્યાપકે કહ્યું, ‘Kalidas is the Shakespeare of India' (જોકે ખરેખર તો એમ વાક્યરચના થવી જોઈએ કે shakespeare is the Kalidas of Europe, કારણ કે કાલિદાસ શેક્સપિયરની પૂર્વે થઈ ગયા, પરંતુ અંગ્રેજી રાજ્યના પ્રભાવ તળે સંસ્થાનવાદી માનસ આમ ઉપમા પ્રયોજે તે ત્યારે સ્વાભાવિક હતું!) હજુ ત્યારે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દપ્રયોગ સ્વપ્નવત્ હતો. હા, રવીન્દ્રનાથે ‘વિશ્વસાહિત્ય' (weltliteratur)ની ચર્ચાસંદર્ભે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દોનો સંભવતઃ પ્રથમ વાર પ્રયોગ કર્યો હતો. આપણે ત્યાં ‘તુલનાત્મક સાહિત્ય'ના અભિગમની ચોક્કસ સભાનતા વગર પણ એ દિશામાં વિવેચન-અભ્યાસ થયેલાં છે જરૂર. તરત જ યાદ આવે ‘ગુજરાતનો નાથ'ના સંદર્ભે વિશ્વનાથ ભટ્ટે કરેલી મુનશી પર ડૂમાની અસરની ચર્ચા. આમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો એક મહત્ત્વનો મુદ્દો ‘influence study' (અસરનો અભ્યાસ) જાણે કેન્દ્રમાં રાખી ચર્ચા થયેલી છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનો લેખ ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' અનુવર્તી કૃતિના મૂળ સ્રોત સાથે સામ્ય-વૈષમ્યની, ઉચિતાનુચિત ફેરફારો આદિની ચર્ચાને કેન્દ્રમાં રાખે છે અને અનુકાલીન સર્જક પ્રેમાનંદની સર્જકપ્રતિભાનો તાગ કાઢવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. ઉમાશંકર જોશીએ વર્ડ્ઝવર્થના ‘ટિન્ટર્નએબિ' અને બલવંતરાય ઠાકોરના ‘આરોહણ'ને કેન્દ્રમાં રાખી વિષયવસ્તુગત તથા રચનારીતિગત તુલનાત્મક અભ્યાસલેખ આપ્યો છે. આ બધા લેખો આપણે ત્યાં સાહિત્ય વિવેચનમાં અને સાહિત્યશિક્ષણમાં ‘તુલનાત્મક સાહિત્ય’ની આબોહવા રચાય તે પહેલાંના છે. આમ, ‘તુલનાત્મક સાહિત્ય'ના વૈવેચનિક કે શૈક્ષણિક અભિગમની ભૂમિ બંધાય તે પહેલાં પણ જાણ્યે-અજાણ્યે એ દિશામાં સક્રિયતાનો આરંભ તો થઈ ચૂક્યો જ હતો.  
પ્રથમ અહીં એક સ્મરણ નોંધું છું. પિસ્તાળીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે. ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં હતો. સંસ્કૃતના વિષયમાં કાલિદાસનું ‘શાકુન્તલ' ભણાવાતું હતું. અધ્યાપકે કહ્યું, ‘Kalidas is the Shakespeare of India' (જોકે ખરેખર તો એમ વાક્યરચના થવી જોઈએ કે shakespeare is the Kalidas of Europe, કારણ કે કાલિદાસ શેક્સપિયરની પૂર્વે થઈ ગયા, પરંતુ અંગ્રેજી રાજ્યના પ્રભાવ તળે સંસ્થાનવાદી માનસ આમ ઉપમા પ્રયોજે તે ત્યારે સ્વાભાવિક હતું!) હજુ ત્યારે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દપ્રયોગ સ્વપ્નવત્ હતો. હા, રવીન્દ્રનાથે ‘વિશ્વસાહિત્ય' (weltliteratur)ની ચર્ચાસંદર્ભે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દોનો સંભવતઃ પ્રથમ વાર પ્રયોગ કર્યો હતો. આપણે ત્યાં ‘તુલનાત્મક સાહિત્ય'ના અભિગમની ચોક્કસ સભાનતા વગર પણ એ દિશામાં વિવેચન-અભ્યાસ થયેલાં છે જરૂર. તરત જ યાદ આવે ‘ગુજરાતનો નાથ'ના સંદર્ભે વિશ્વનાથ ભટ્ટે કરેલી મુનશી પર ડૂમાની અસરની ચર્ચા. આમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો એક મહત્ત્વનો મુદ્દો ‘influence study' (અસરનો અભ્યાસ) જાણે કેન્દ્રમાં રાખી ચર્ચા થયેલી છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનો લેખ ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' અનુવર્તી કૃતિના મૂળ સ્રોત સાથે સામ્ય-વૈષમ્યની, ઉચિતાનુચિત ફેરફારો આદિની ચર્ચાને કેન્દ્રમાં રાખે છે અને અનુકાલીન સર્જક પ્રેમાનંદની સર્જકપ્રતિભાનો તાગ કાઢવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. ઉમાશંકર જોશીએ વર્ડ્ઝવર્થના ‘ટિન્ટર્નએબિ' અને બલવંતરાય ઠાકોરના ‘આરોહણ'ને કેન્દ્રમાં રાખી વિષયવસ્તુગત તથા રચનારીતિગત તુલનાત્મક અભ્યાસલેખ આપ્યો છે. આ બધા લેખો આપણે ત્યાં સાહિત્ય વિવેચનમાં અને સાહિત્યશિક્ષણમાં ‘તુલનાત્મક સાહિત્ય’ની આબોહવા રચાય તે પહેલાંના છે. આમ, ‘તુલનાત્મક સાહિત્ય'ના વૈવેચનિક કે શૈક્ષણિક અભિગમની ભૂમિ બંધાય તે પહેલાં પણ જાણ્યે-અજાણ્યે એ દિશામાં સક્રિયતાનો આરંભ તો થઈ ચૂક્યો જ હતો.