11,913
edits
No edit summary |
No edit summary |
||
Line 36: | Line 36: | ||
<center>પ</center> | <center>પ</center> | ||
મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો : | મધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યની જેમ કંઠસ્થ લોકસાહિત્યના વિવેચનમાં પણ તેની આગવી પરંપરાઓનો ખ્યાલ વિવેચકપક્ષે હોવો જરૂરી છે. લોકસાહિત્યમાં ગ્રામજનોના મનોભાવો અને ગ્રામીણ કુટુંબજીવન તથા લોકજીવન, તેમનાં વિવિધ રૂપો અને સારી-નરસી પરંપરાઓ ઉપરાંત પ્રાકૃતિક પરિવેશ સહિત, તળપદી લોકબોલીમાં, સ્વાભાવિક રૂપમાં આલેખાય છે. જે તે પ્રદેશના લોકજીવનથી, તેની પરંપરાઓથી, તેની તળપદી બોલી અને રૂઢિપ્રયોગોથી, તેના પ્રાકૃતિક પરિવેશથી અનભિજ્ઞ વિવેચક તે પ્રદેશના લોકસાહિત્યનું યથાર્થ વિવેચન કરી શકે નહીં. આ લેખક(જશવંત શેખડીવાળા)ને પણ, કચ્છ પ્રદેશ અને કચ્છી બોલીના અલ્પજ્ઞાનને લઈ, ‘કચ્છનું લોકસાહિત્ય' (લોકગુર્જરી-૧૨, માર્ચ-૧૯૮૫) નામના લેખમાં, આ કઠોર સત્યનો અનુભવ થયેલો. તેમાં તેણે કચ્છી પ્રકૃતિ અને માનવીઓની વિશેષતાઓનો ઘોતક આવો એક દુહો ટાંક્યો હતો : | ||
ખેરી બેરીં ને બાવરી, ફૂલ કંઢા ને કખ્ખ; | {{Poem2Close}}<poem>ખેરી બેરીં ને બાવરી, ફૂલ કંઢા ને કખ્ખ; | ||
હોથલ હલો કચ્છડે, જિતે માડુ સવા લખ્યું. | હોથલ હલો કચ્છડે, જિતે માડુ સવા લખ્યું. </poem>{{Poem2Open}} | ||
(હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.) | (હે હોથલ! જ્યાં ખેર, બોરડી, બાવળ, ફૂલ, કંઢા અને કખ્ખ છે, જ્યાં સવા લાખના મૂલ્યનાં માનવી છે, તે કચ્છમાં ચાલો.) | ||
આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી : | આ દુહામાં ‘ખેરી બેરીં ને બાવરીં' શબ્દો પર અનુસ્વાર મૂક્યાં હતાં તેમ જ ‘કંઢા' ને ‘કખ્ખ'ની સાથે ‘ફૂલ'નો પ્રયોગ કર્યો હતો. લેખક કચ્છી બોલી અને પ્રકૃતિથી અજાણ, તેથી તેણે ક્યાંકથી મળેલ કચ્છી દુહો એવા રૂપમાં લખ્યો હતો. અશોક હર્ષ જેવા કચ્છી બોલી-પ્રકૃતિ-પરંપરાથી સુપરિચિત કચ્છી વિદ્વાને તેમાં રહેલી ક્ષતિ જોઈ, તેમના એક લેખમાં તેની આવી ટીકા કરી હતી : | ||
Line 44: | Line 44: | ||
જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!'' | જશવંત શેખડીવાળાનો લેખ “ ‘સંદેશક રાસ'માં ખંભાતવર્ણન!'' | ||
‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું : | ‘કચ્છનું લોકસાહિત્ય' નામના એ લેખમાં આ લેખકે બીજી પણ એક મોટી ભૂલ કરેલી. તેમાં ઋતુઓના વર્તારા દર્શાવતું એક ‘કચ્છી ભડલીસૂત્ર’ તેણે ટાંકેલું : | ||
ડીંની વઝુર ને રાત જા તારા, | {{Poem2Close}}<poem>ડીંની વઝુર ને રાત જા તારા, | ||
ચોંધલ ચંતા ઈ ડુકારજા ચારા. | ચોંધલ ચંતા ઈ ડુકારજા ચારા. | ||
તેનું ગુજરાતી ભાષાંતર આવું કરેલું : | તેનું ગુજરાતી ભાષાંતર આવું કરેલું : | ||
દિવસે વાદળ ને રાતે તારા; | દિવસે વાદળ ને રાતે તારા; | ||
ચોંધલ કહે એ દુકાળના ચાળા. | ચોંધલ કહે એ દુકાળના ચાળા. </poem>{{Poem2Open}} | ||
સોનલ, આણલ, દેવલ જેવાં નામોના સાદૃશ્યે કરી, આ લેખકે ‘ચોધલ'ને કોઈ સ્ત્રીનું વિશેષ નામ સમજી લખ્યું હતું : ‘ચોંધલ કહે એ દુકાળના ચાળા.' અશોક હર્ષે તેને અનુલક્ષી તેમના ઉપર્યુક્ત લેખમાં આવી ટીકા કરી હતી : | સોનલ, આણલ, દેવલ જેવાં નામોના સાદૃશ્યે કરી, આ લેખકે ‘ચોધલ'ને કોઈ સ્ત્રીનું વિશેષ નામ સમજી લખ્યું હતું : ‘ચોંધલ કહે એ દુકાળના ચાળા.' અશોક હર્ષે તેને અનુલક્ષી તેમના ઉપર્યુક્ત લેખમાં આવી ટીકા કરી હતી : | ||
‘આમાં ચોંધલ'નો અર્થ એમણે વ્યક્તિવિશેષ તરીકે ઘટાવેલ છે. કચ્છીમાં ‘ચોંધલ'નો અર્થ થાય 'કહેનાર'. એમાંના ચેં'નાં ક્રિયાપદ બહુવચનસૂચક હોઈને એનો અર્થ થાય ‘કહેનારા’.’’ | ‘આમાં ચોંધલ'નો અર્થ એમણે વ્યક્તિવિશેષ તરીકે ઘટાવેલ છે. કચ્છીમાં ‘ચોંધલ'નો અર્થ થાય 'કહેનાર'. એમાંના ચેં'નાં ક્રિયાપદ બહુવચનસૂચક હોઈને એનો અર્થ થાય ‘કહેનારા’.’’ | ||
Line 56: | Line 56: | ||
આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬) | આ. રજી, ૧૯૧૨; પૃ. ૩૫૬) | ||
લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે : | લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકબોલીનું પર્યાપ્ત જ્ઞાન યા સમજ ન હોય તો બીજી રીતે સક્ષમ અને સુસજ્જ એવો વિદ્વાન વિવેચક પણ લોકસાહિત્ય પરના તેના વિવેચનમાં ઘણી ગંભીર-મોટી ભૂલો કરી બેસે. લોકસાહિત્યવિષયક તેનું વિવેચન અસત્ય અને અશ્રદ્ધેય જ બની રહે. ચંદ્રકાન્ત દ્વારા થયેલું ‘સોનલ ગરાસણી' નામની એક સોરઠી ગીતકથાનું વિવેચન (મધ્યમાલા, પ્ર. આ. ૧૯૮૨; ‘લોકસાહિત્ય : પ્રજાનાં આંતરસંવેદનનો આલેખ' નામનો લેખ) તેનું ઉદાહરણ છે. તેમણે વિવેચેલી સોરઠી ગીતકથા આવી છે : | ||
સોનલ રમતી રે ગઢડાની ગોખે જો, | {{Poem2Close}}<poem>સોનલ રમતી રે ગઢડાની ગોખે જો, | ||
ગઢડાની ગોખે જો; | ગઢડાની ગોખે જો; | ||
રમતાં ઝલાણી સોનલ ગરાસણી. | રમતાં ઝલાણી સોનલ ગરાસણી. </poem>{{Poem2Open}} | ||
‘રમતાં' ઝલાયેલી સોનલને છોડાવવા માટે દાદા ‘ધોળુડાં ધણ', કાકા ‘કાળુડું ખાડું', વીરો ધમરાળા વછેરા', મામા ‘વેલડું ને માફી આપવા' તૈયાર થાય છે, ‘તોય ન છૂટી સોનલ ગરાસણી.' અંતે સોનલનો સ્વામી ‘માથા કેરી મોળ્યું' આપે છે, ત્યારે દમકે છૂટી રે સોનલ ગરાસણી.’ | ‘રમતાં' ઝલાયેલી સોનલને છોડાવવા માટે દાદા ‘ધોળુડાં ધણ', કાકા ‘કાળુડું ખાડું', વીરો ધમરાળા વછેરા', મામા ‘વેલડું ને માફી આપવા' તૈયાર થાય છે, ‘તોય ન છૂટી સોનલ ગરાસણી.' અંતે સોનલનો સ્વામી ‘માથા કેરી મોળ્યું' આપે છે, ત્યારે દમકે છૂટી રે સોનલ ગરાસણી.’ | ||
ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે : | ચંદ્રકાન્ત ટોપીવાળા, આ ગીતકથાનું વિવેચન કરતાં, તેને પ્રેમની એક સરસ અનુભૂતિ'ને સ્થાનિક રંગો સાથે અને સ્થાનિક અસબાબ સાથે પ્રગટ’ કરતી કૃતિ કહે છે! તેઓ તે વિશે લખે છે : | ||
Line 82: | Line 82: | ||
<center> ૮ </center> | <center> ૮ </center> | ||
લલિત કૃતિઓની જેમ વિવેચનની કૃતિઓનું પણ આલોચન થવું જોઈએ. જાગ્રત, સક્ષમ, સન્નિષ્ઠ વિવેચક જો, વિવેચ્ય કૃતિઓ સર્વાંગસુંદર, કલાત્મક, રસપ્રદ હોય તેવી અપેક્ષા સેવતો હોય, તો તેણે વિવેચન પણ વિવેચ્ય કૃતિઓ – વિષયોનું સર્વાશ્લેષી, તલસ્પર્શી, વિશદ, પ્રતીતિકર, વિચારપ્રેરક સચોટ નિરૂપણ કરતું હોય તેવી અપેક્ષા સેવવી જોઈએ. પૂર્વકાલીન યા સમકાલીન વિવેચકોની વિચારણામાં જે કંઈ સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ઊણપો, દોષો રહી ગયાં હોય તે તેણે ઉદ્દંડ કે આક્રમક બન્યા વિના નિર્ભીકતાપૂર્વક બતાવવાં જોઈએ. ગુરુજનો તરફનો વ્યક્તિગત ભક્તિભાવ યા સમકાલીનો તરફનો મૈત્રીભાવ કે નવોદિત તીખા તરુણોના પ્રતિ-આઘાતની ભીતિ વિવેચનમાં આડે ન આવવાં જોઈએ. એક સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ – | લલિત કૃતિઓની જેમ વિવેચનની કૃતિઓનું પણ આલોચન થવું જોઈએ. જાગ્રત, સક્ષમ, સન્નિષ્ઠ વિવેચક જો, વિવેચ્ય કૃતિઓ સર્વાંગસુંદર, કલાત્મક, રસપ્રદ હોય તેવી અપેક્ષા સેવતો હોય, તો તેણે વિવેચન પણ વિવેચ્ય કૃતિઓ – વિષયોનું સર્વાશ્લેષી, તલસ્પર્શી, વિશદ, પ્રતીતિકર, વિચારપ્રેરક સચોટ નિરૂપણ કરતું હોય તેવી અપેક્ષા સેવવી જોઈએ. પૂર્વકાલીન યા સમકાલીન વિવેચકોની વિચારણામાં જે કંઈ સંદિગ્ધતા, અસ્પષ્ટતા, ઊણપો, દોષો રહી ગયાં હોય તે તેણે ઉદ્દંડ કે આક્રમક બન્યા વિના નિર્ભીકતાપૂર્વક બતાવવાં જોઈએ. ગુરુજનો તરફનો વ્યક્તિગત ભક્તિભાવ યા સમકાલીનો તરફનો મૈત્રીભાવ કે નવોદિત તીખા તરુણોના પ્રતિ-આઘાતની ભીતિ વિવેચનમાં આડે ન આવવાં જોઈએ. એક સંસ્કૃત સૂક્તિમાં કહ્યું છે તેમ – | ||
शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि । | {{Poem2Close}}<poem>शत्रोरपि गुणा वाच्या दोषा वाच्या गुरोरपि । | ||
पुरुषं प्रतिबोधाय तत्र दोषो न विद्यते ॥ | पुरुषं प्रतिबोधाय तत्र दोषो न विद्यते ॥ </poem>{{Poem2Open}} | ||
(માણસને સાચી વસ્તુનો ખ્યાલ આપવા માટે શત્રુના પણ જે ગુણો હોય તે કહી દેવા; અને ગુરુજનોના દોષો હોય, તો તે પણ કહી દેવા. તેમ કરવામાં કશો દોષ નથી.) | (માણસને સાચી વસ્તુનો ખ્યાલ આપવા માટે શત્રુના પણ જે ગુણો હોય તે કહી દેવા; અને ગુરુજનોના દોષો હોય, તો તે પણ કહી દેવા. તેમ કરવામાં કશો દોષ નથી.) | ||
આ દૃષ્ટિએ જોતાં સંજાણા, નરસિંહરાવ દિવેટિયા, બ. ક. ઠાકોર, સુન્દરમ્, વિ. મ. ભટ્ટ, સુરેશ જોષી આદિનાં કેટલાંક વિવેચનો વિવેચકો માટે ધ્યાનાર્હ બની રહેવાં ઘટે. મોટા લેખાતા સુપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિઓની કે સંદિગ્ધ યા ભ્રામક વિચારણાની બરાબર આલોચના થવી જોઈએ. તમામ સર્જકો-વિવેચકોની સારી-નરસી બધી જ કૃતિઓનું કેવળ ગુણદર્શી વિવેચન કરી, ‘અજાતશત્રુ' વિવેચકનું બિરુદ મેળવવા માટે લાલાયિત બની રહેવું, એ વિવેચકની સિદ્ધિનું નહિ પણ શરમનું ઘૌતક ગણાય. ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ સૈકા પૂર્વે આપણા વિવેચકોને જે સલાહ આપેલી તે આજેય વિચારણીય અને અનુકરણ કરવા જોગ છે : | આ દૃષ્ટિએ જોતાં સંજાણા, નરસિંહરાવ દિવેટિયા, બ. ક. ઠાકોર, સુન્દરમ્, વિ. મ. ભટ્ટ, સુરેશ જોષી આદિનાં કેટલાંક વિવેચનો વિવેચકો માટે ધ્યાનાર્હ બની રહેવાં ઘટે. મોટા લેખાતા સુપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિઓની કે સંદિગ્ધ યા ભ્રામક વિચારણાની બરાબર આલોચના થવી જોઈએ. તમામ સર્જકો-વિવેચકોની સારી-નરસી બધી જ કૃતિઓનું કેવળ ગુણદર્શી વિવેચન કરી, ‘અજાતશત્રુ' વિવેચકનું બિરુદ મેળવવા માટે લાલાયિત બની રહેવું, એ વિવેચકની સિદ્ધિનું નહિ પણ શરમનું ઘૌતક ગણાય. ગુજરાતીના આદ્ય વિવેચક નવલરામ પંડ્યાએ સૈકા પૂર્વે આપણા વિવેચકોને જે સલાહ આપેલી તે આજેય વિચારણીય અને અનુકરણ કરવા જોગ છે : |