અભિમન્યુ આખ્યાન/કડવું ૨

From Ekatra Wiki
Revision as of 11:39, 1 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} {{Poem2Open}} {{Color|Blue|[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૨
[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે મહાતપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું. દશ દિશાઓ જીતી, અધર્મ પ્રવર્તાવ્યો. ત્રસ્ત દેવો કૃષ્ણ-બલરામને વીનવવા દ્વારકા ગયા.]

<poem> સંજયનાં વાયક સુણી બોલ્યો હસ્તિનાપુરનો ધણી : અતિઘણી સંદેહની મન વારતા રે.          ૧

હરિને હેત અતિ ઘણો સૌભદ્રે જે પાંડવ તણો, નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.          ૨

ઢાળ

મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર. ૩

પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય : વેરભાવ છે પૂર્વ જન્મનો, સાંભળ, ધૃતરાષ્ટ્ર રાય! ૪

એક અયદાનવ દૈત્યનો રાજા, તેણે મહાતપ કીધું, થોડે દહાડે શ્રીમહાદેવે આવીને દર્શન દીધું. ૫ સાદ કરીને શંભુ બોલ્યા : ‘માગ દાનવ! વરદાન; તારું તપ અતિ નિર્મળ દેખી થયો હું તુષ્ટમાન.’ ૬

અયદાનવ બેહુ કર જોડી લાગ્યો શિવને ચર્ણ : ‘સ્વામી! માગું છું તમ પાસે, કો કાળે ન પામું મર્ણ. ૭

દેવ, દાનવ ને યક્ષ, વિદ્યાધર યુદ્ધે હુંથી હારે; બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શૂદ્ર કો, સ્વામી! મુને ન મારે. ૮

અઠ્ઠોતેર સો વ્યાધિ ન આવે શરીરે, પંચવદન! ચૌદ લોકમાં ગત ગયાની, ભમું ત્રણે ભુવન. ૯

વ્યાલ ડસે તો વિષ નવ ચડે, પશુપંખી મારો આહાર; લોહ, કાષ્ઠ, અગ્નિ નહિ અડકે, વશ વરતે સંસાર.’ ૧૦

મહાદેવ કહેઃ ‘તું સર્વને જીતીશ ત્રણ લોકને માંહ્ય, પણ વૈકુંઠવાસી આદ્ય વિષ્ણુ, તેને નવ જિતાય.’ ૧૧

અંતર્ધાન ઈશ્વર થયા એહવું કહી વચન; અયદાનવ આવ્યો નિજ ધામે, માંડ્યું રાજ્યાસન. ૧૨

દશે દિશા જીતી વશ કીધી, ચલાવ્યો અધર્મ; મુનિ માત્ર મારીને કાઢ્યા, મુકાવ્યાં ખટ કર્મ. ૧૩

ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર; અમરાપુરી મુકાવી ઇંદ્રન,ે લીધો પોતે અધિકાર ૧૪


દેવ માત્ર ટોળે મળીને ગયા દ્વારિકા ગામ, અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ. ૧૫

વલણ વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે. ૧૬