અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર


લાઠી સ્ટેશન પર

ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
         દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
         ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
         સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)


આસ્વાદ: ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા