અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કારણ (નથી) (ન હો) (છાકટો)
Revision as of 06:18, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કારણ (નથી) (ન હો) (છાકટો)| ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> કોઈ ઇચ્છાનું...")
કારણ (નથી) (ન હો) (છાકટો)
ચિનુ મોદી `ઈર્શાદ'
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)