અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ આચાર્ય/મંદિર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)}}
{{Right|(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જમિયત પંડ્યા `જિગર'/કફન માપસરનું ન પામ્યા દુલારા! | કફન માપસરનું ન પામ્યા દુલારા! ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નટવરલાલ પ્ર. બૂચ/યાચે શું ચિનગારી? | યાચે શું ચિનગારી?]]  | યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી?]]
}}

Latest revision as of 10:34, 20 October 2021


મંદિર

જયંતીલાલ આચાર્ય

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે! મંદિર.

નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે!
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. મંદિર.

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે બાળ અધીરાં રે. મંદિર.

(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)