અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/ચણોઠડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વનની વાટે તે રંગ લાલ રેલ્યાં, {{space}}ચણોઠડી કોણે વાવી રે લોલ? વગડે મ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ચણોઠડી|જયંતીલાલ સોમનાથ દવે}}
<poem>
<poem>
વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
Line 33: Line 35:
{{space}}ચણોઠડી કોણે વાવી રે લોલ?
{{space}}ચણોઠડી કોણે વાવી રે લોલ?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/આપણા મલકમાં | આપણા મલકમાં]]  | આપણા મલકમાં માયાળુ માનવી ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/માણસ મરી જાય છે પછી | માણસ મરી જાય છે પછી]]  | થોડા દિવસ કરુણ શબ્દોની ઊડાઊડ ‌]]
}}

Latest revision as of 10:15, 22 October 2021

ચણોઠડી

જયંતીલાલ સોમનાથ દવે

વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
         ચણોઠડી કોણે વાવી રે લોલ?

વગડે મનડાં રમતાં મેલ્યાં,
         ચણોઠડી ક્યાંથી આવી રે લોલ?

એના હિંગળોકિયા હૈયામાં કે,
         સિંદૂર કોણે સીંચ્યા રે લોલ?

સીમને સૂને મારગડે કો’ક તે,
         કસબી ભૂલો પડ્યો રે લોલ?

વગડે વશ રહ્યું નહીં મન કે,
         જીવડો લ્હેરે ચડ્યો રે લોલ.

પાગલે પથ્થરનાં કાળજાં કોર્યાં,
         ને મેંદી મૂકી દીધી રે લોલ.

લાલઘૂમ મોતીના કંઠમાં કાળી કે,
         રુશનઈ આંકી દીધી રે લોલ.

ભમતાં ભુલાયેલી વનવાટે કે,
         કેસર કંકુ વેર્યાં રે લોલ.

મારગે જાતાં જાતાં મોજીલે કે,
         મબલખ મોતી ખેર્યાં રે લોલ.

વનની વાટે તે રંગ લાલ રેલ્યાં,
         ચણોઠડી કોણે વારી રે લોલ?

વગડે મનડાં રમતાં મેલ્યાં,
         ચણોઠડી કોણે વાવી રે લોલ?