અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
વળામણે ભેળી લઈને જાય તે.
વળામણે ભેળી લઈને જાય તે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કવિતા વિશે કવિતા (૩)
|next = કવિતા વિશે કવિતા (૫)
}}

Latest revision as of 12:54, 26 October 2021


કવિતા વિશે કવિતા (૪)

દિલીપ ઝવેરી

(૪)

કુલડીમાં ઢાંકેલા દેવતાની જેમ
શબ્દોમાં જે હોય
એને ટેરવાંથી ફંફોસતાં દાઝી જવાય અને વીજળીવેગે ચીસ થઈને ઊછળે
તે કવિતા
કે પછી પોષમાં
કોઈ ઠૂંઠા થડની બખોલમાં સંતાડવા જતાં
આખા વનની સૂકી ડાળીઓ પર પાંદડાં જેવી લપેટો થઈને ઝગમગે
કે પછી દુઃખતા સાંધા પર હળવેકથી ફેરવતાં
ઘોડારમાંથી છોડ્યા ઊના લોહીની જેમ હડબડે
કે પછી ચૂલાના ગરભમાં સરી
આંધણની જેમ ખદબદે
કે પછી પગને અંગૂઠે વળગી
આ સકળને સાચ કરી
વળામણે ભેળી લઈને જાય તે.