અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 33: Line 33:
{{Right|પરબ, ઑક્ટોબર}}
{{Right|પરબ, ઑક્ટોબર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી | સ્મરણમંજરી]]  | ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છદિત પિનાંગ અને...]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું | ...રોમાંચનું]]  | તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું રૂપ ભીતરમાં હતું  ]]
}}

Latest revision as of 10:56, 22 October 2021

ત્રણ વાંદરા

નલિન રાવળ

સાબરમતી આશ્રમના વૃક્ષ
ઉપર
બેઠેલ ત્રણ વાંદરા
પીઠ ખંજવાળતા વાતે વળગ્યા...
પહેલો વાંદરો બોલ્યોઃ
આંખ બંધ રાખે વર્ષો વીત્યાં
પણ
આંખ ઊઘડતાં જોયું તો
એનું એ જ ઓઘરાળું અમદાવાદ.
આ સાંભળી
બીજો વાંદરો બોલ્યોઃ
મોં બંધ રાખે વર્ષો વહ્યાં
પણ
મોં ખોલતાં જ અવાજ સર્યો
આખું શ્હેર ભ્રષ્ટ છે.
આ સાંભળી
ત્રીજો વાંદરો બોલ્યોઃ
કાન બંધ રાખે વરસોનાં વરસ ગયાં
પણ
કાન પરથી હાથ ઉપાડતાં જ
જોઉં-સાંભળું
ભારે કોલાહલ
વચ્ચે
ઇન્કમટૅક્સ પાસે
સ્હેજ શરીર નમાવી ઊભેલ
ગાંધીજી બોલી રહ્યા છે —
બૂરું જોવું નહીં
બૂરું બોલવું નહીં
બૂરું સાંભળવું નહીં.
પરબ, ઑક્ટોબર