અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/મન ઉમંગ આજ ન માયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મન ઉમંગ આજ ન માયો કે ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો, મન ઉમં...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મન ઉમંગ આજ ન માયો|નલિન રાવળ}}
<poem>
<poem>
મન ઉમંગ આજ ન માયો
મન ઉમંગ આજ ન માયો
Line 21: Line 23:
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઝૂમાં સુંદરી
|next =રેતપંખી
}}

Latest revision as of 10:49, 22 October 2021

મન ઉમંગ આજ ન માયો

નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો,
મન ઉમંગ આજ ન માયો
કે
નીલ નભે જઈ ઇન્દ્રધનુ બની છાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
ફૂલફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો!
મન ઉમંગ આજ ન માયો
કે
પંખીગણના કલરવ મહીં ગવાયો
મન ઉમંગ આજ ન માયો
કે
અપરિમેય લાવણ્યમયીના હિયમહીં
મધુર રાગ થઈ વાયો.
મન ઉમંગ આજ ન માયો
કે
કોઈ કવિના ગિરા-પદ્મની
શત શત લય પાંદડીએ સૌરભ બની છવાયો.