અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/આષાઢ આયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 33: Line 33:
{{Right|(‘છંદોલય’, બીજી. આ. ૧૯૯૭, પૃ. ૧૨૦-૧૨૧)}}
{{Right|(‘છંદોલય’, બીજી. આ. ૧૯૯૭, પૃ. ૧૨૦-૧૨૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = હરી ગયો
|next = મુંબઈનગરી
}}

Latest revision as of 12:00, 21 October 2021

આષાઢ આયો

નિરંજન ભગત

         રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!

         દૂરને દખ્ખણ મીટ માંડીને
                  મોરલે નાંખી ટ્હેલ,
         વાદળી સાગરસેજ છાંડીને
                  વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

         મેઘવીણાને કોમલ તારે
                  મેલ્યાં વીજલ નૂર,
         મેહુલાએ ત્યાં જલની ધારે
                  રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને રંગ રંગઉમંગ ન માયો!

         જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
                  સંસાર મ્હાલ્યો સંગ,
         અલકાથી હું દૂર, તે સાલ્યો
                  મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

         આપણે રે પ્રિય, સામસામે તીર,
                  ક્યારેય નહીં મિલાપ;
         ગાે જીવનજમુનાનાં નીર
                  વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
         બિરહમાં બાઢ લાયો!
         એ આજ આષાઢ આયો!

(‘છંદોલય’, બીજી. આ. ૧૯૯૭, પૃ. ૧૨૦-૧૨૧)