અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હરી ગયો

From Ekatra Wiki
Revision as of 06:11, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

                           હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
         હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
         મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
         એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ
મીઠું?
         રે હસવું કે રોવું?

ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
                           હરિવર મુજને હરી ગયો!

(છંદોલય, પૃ. ૯૨)