અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય

From Ekatra Wiki
Revision as of 06:04, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
તોય

પન્ના નાયક

કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિ ણા ફરી,
ઘીનો દીવો કરી,
પગે લાગી
ઇપ્સિ ત વર માગેલો…
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?