અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/નોળવેલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(પદ્મા, પૃ. ૧૩૨)}}
{{Right|(પદ્મા, પૃ. ૧૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઝાલાવાડી ધરતી
|next =શિશિર
}}

Latest revision as of 10:00, 21 October 2021


નોળવેલ

પ્રજારામ રાવળ

તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!

આંહીં મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પ :
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચૂકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુન : સૂંઘવી નોળવેલ!

જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!

ઢીલી થાતી સરપ તણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; — પીઉં પીયૂષઘूંટ!

(પદ્મા, પૃ. ૧૩૨)