અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ લોકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ન્યૂયૉર્ક — એક હરણ
|next =ઈસુની ઉક્તિ
}}

Latest revision as of 12:50, 21 October 2021

એ લોકો

પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)