અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અચલ શ્રદ્ધા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
ન સાથ ગુરુ, શિષ્ય નાઃ અચલ તો ય શ્રદ્ધા તુંમાં.
ન સાથ ગુરુ, શિષ્ય નાઃ અચલ તો ય શ્રદ્ધા તુંમાં.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અતલ નિરાશા
|next = જીવતું મોત
}}

Latest revision as of 11:07, 19 October 2021

અચલ શ્રદ્ધા

બળવંતરાય ક. ઠાકોર

ન માર્ગ હરિ યે દિશે, નવ દિસે જ દીઠેલ કોઃ
દિસે અહિંતહીં બધાજ લઘુકાર્યમાં ડૂબતા;
દિસે અહિંતહીં ઘણા લઘુ ગણી મહત્ ફૂલતા,
અચૈત મદિલા વળી અહહ કૈંક ડૂલાવતા.

વહ્યો યુગ જુનો, નહીં યુગ નવો જ ઊગ્યો હજી.
નિશા જ પસરી બધે અજબ ભૂતભડકા સજીઃ
ભ્રમાટવિ વિશે ભુલા ભુલવતા ઘણાને મુજી,—
નવો યુગ ઉગે જ કૈ ક્ષણ, કિહાં, ન જાણંત કો.

અહો યુગયુગાન્તરાલઘનઘોર વાંસે દ્યુતિ!
ન માર્ગ દિસતો ભલે; અચલ મ્હારી શ્રદ્ધા તુમાં!
ન માર્ગ દિસતો ભલેઃ લઘુ મળે જ કાર્યો ભલે,—
ભુલૂં ન લઘુતા તથાપિ કરું પૂર્ણ નિષ્ઠા બલેઃ
ન માર્ગ દિસતો તથાપિ લઘુતા ન ઉત્સાહમાં;
ન સાથ ગુરુ, શિષ્ય નાઃ અચલ તો ય શ્રદ્ધા તુંમાં.