અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/માણસની ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|માણસની ગઝલ|ભગવતીકુમાર શર્મા}} <poem> અમે આંધી વચ્ચે તણખલાંના...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૧૫-૯-૧૯૮૪)}}
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૧૫-૯-૧૯૮૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમન્ત દેસાઈ /પામું છું | પામું છું]]  | સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ગામ આવી ગયું | ગામ આવી ગયું]]  | લોહીમાં સૂર્ય જેવું ફૂટ્યું લખલખું —  ]]
}}

Latest revision as of 11:48, 22 October 2021


માણસની ગઝલ

ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી–નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.
(છંદો છે પાંદડાં જેનાં, ૧૫-૯-૧૯૮૪)